બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Environmentalist from Nandod made eco-friendly Ganesha idol from cow dung
Kishor
Last Updated: 04:08 PM, 8 September 2023
ગણેશ મહોત્સવના આગમનને લઈને આયોજકો દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ગણેશ પંડાલના આયોજકો અને ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ છે ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપપરા ગામના પર્યાવણપ્રેમી રાજેશ વસાવા ગાયના છાણમાંથી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાની અદભુત કળા જાણે છે. આ વખતે તેમણે 7000થી વધુ મૂર્તિ બનાવી છે. સાથે જ તેઓ ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવા લોકોને પણ સમજાવી રહ્યા છે.
લોકોની જાગૃતિ વચ્ચે પણ શ્રીજીની પીઓપીની મૂર્તિઓનું ચલણ જોવા મળે છે. જે પાણીમાં ઓગળતી ન હોવા ઉપરાંત તેના રંગો કેમિકલ હોવાથી નદીમાં વિસર્જન વખતે પીઓપી અને કેમિકલથી નદી પ્રદુષિત થતી હોવા ઉપરાંત જલચર સજીવો માટે પ્રાણ ઘાતક હોય છે. જેને લઈને પર્યાવરણને ખૂબ નુકસાન થાતું હોય છે.
ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત કરવા અપીલ
સરકાર અને તંત્ર દ્વારા ગણેશ મૂર્તિ પીઓપીને બદલે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત કરવા અપીલ કરી. ત્યારે આજે એવા એક ખેડૂતની વાત કરવી છે જે ખેતી અને પશુપાલન સાથે પશુના ગોબરથી આવકનો સ્ત્રોત ઊભો કરે છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપપરા ગામના પર્યાવણ પ્રમી રાજેશ વસાવા પ્રતાપપરા ગામમાં હરિ અનમોલ ગૌશાળામાં દેશી ગાયના છાણ માંથી મહિલાઓ ઈકોફેંડલી ગણેશજીની મૂર્તિ બનાવે છે.
7000 થી વધુ મૂર્તિ બનાવી પર્યાવરણની જાગૃતિ
આ વખતે 7000 થી વધુ મૂર્તિ બનાવી પર્યાવરણ ની જાગૃતિ માટેનો પ્રચાર કરે છે અને સાથે રોજગારી મેળવે પણ છે અને મહિલાઓને આ થકી તાલીમ અને રોજગારી પુરી પાડે છે. રાજેશભાઇ વસાવા એ જણાવ્યું હતું કે આ મૂર્તિનું ઘરમાં જ ડોલના પાણીમાં વિસર્જન કરી શકાય છે. અને ઓગળી ગયેલ પાણી છાણીયુ ખાતર બની જાય છે.એ ખાતર વાળું પાણી ખેતરમાં કે કુંડાના છોડમાં રેડી દેવાથી ઓર્ગેનિક ખાતર પાકમાં ખૂબ ફાયદો કરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા