બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / Election Commission of India allots the 'Two Swords & Shield symbol' to Eknath Shinde faction
Hiralal
Last Updated: 06:05 PM, 11 October 2022
ચૂંટણી પંચે મંગળવારે એકનાથ શિંદે જૂથને ચૂંટણી ચિહ્ન જારી કર્યું છે. પંચે શિંદે જૂથને બે તલવારો અને એક ઢાલનું પ્રતીક ફાળવી આપ્યું છે. આ પહેલા સોમવારે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને ટોર્ચનું નિશાન ફાળવી આપ્યું હતું તે ઉપરાંત ઉદ્ધવને પાર્ટીનું નવું નામ પણ મળ્યું હતું. પંચે ઉદ્ધવને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે રાખવાની પણ મંજૂરી આપી છે.
Election Commission of India allots the 'Two Swords & Shield symbol' to Eknath Shinde faction of Shiv Sena; they were allotted the name 'Balasahebanchi ShivSena' yesterday. pic.twitter.com/2Xi2C5TS4T
— ANI (@ANI) October 11, 2022
ઉદ્ધવ કે શિંદે એક પણ જૂથ નહીં વાપરી શકે શિવસેનાનું ઓરિજનલ ચૂંટણી નિશાન
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ચૂંટણી પંચે ઉદ્ધવ અને શિંદે જૂથને શિવસેનાના ઓરિજનલ ચૂંટણી નિશાન ધનુષ- બાણને જપ્ત કરી લીધું હતું અને બન્નેને નવા નિશાન સાથે અંધેરી પેટાચૂંટણી લડવાની સલાહ આપી હતી. પંચના આદેશ બાદ ઉદ્ધવ અને શિંદેએ પોતપોતાની પસંદગી પ્રમાણેના ચૂંટણી નિશાન પંચને સુપ્રત કર્યાં હતા જેમાંથી પંચે એક ફાઈનલ નામ પર મંજૂરીની મહોર લગાવી હતી.
ઉદ્ધવ ઠાકરે જૂથને મળ્યું મશાલનું ચિન્હ
સોમવારે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને મશાલનું ચૂંટણી ચિન્હ આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેનાનું આ જૂથ હવે મશાલના ચિન્હ પર 3 નવેમ્બરે અંધેરી પેટાચૂંટણી લડશે.
ઉદ્ધવ કે શિંદે નહીં મૂળ શિવસેના અને તેના નિશાન ધનુષ-બાણ પર નહીં લડી શકે ચૂંટણી
3 નવેમ્બરે અંધેરી બેઠકની પેટાચૂંટણી યોજાવાની છે અને તે માટે હવે ઉદ્ધવ કે શિંદે જૂથ તેમને મળેલા નવા નિશાન સાથે ચૂંટણી લડશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ