બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Arohi
Last Updated: 08:33 AM, 24 October 2023
આજે દેશભરમાં દશેરા એટલે કે વિજયા દશમીનો તહેવાર ઉજવવામાં આવશે. કહેવાય છે કે આ દિવસે ભગવાન રામે રાવણનો સંહાર કર્યો હતો. દશેરા પર શમીના વૃક્ષની પૂજાનું ખાસ મહત્વ છે. આ દિવસે શમીના વૃક્ષની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
પૌરાણિક કથા
વિજયાદશમી પર શમીના વૃક્ષની પૂજા સાથે જોડાયેલી એક કથા પણ છે. કથા અનુસાર મહર્ષિ વર્તન્તુના શિષ્ય કોત્સ હતા. મહર્ષિ વર્તુન્તુએ કોત્સ પાસેથી શિક્ષા લીધા બાદ ગુરૂ દક્ષિણાના રૂપમાં 14 કરોડ સ્વર્ણ મુદ્રાઓ માંગી હતી.
ગુરૂ દક્ષિણા માટે કોત્સ મહારાજ રધુની પાસે આવ્યા અને તેમની પાસે સ્વર્ણ મુદ્રાઓ માંગી. પરંતુ રાજાનો ખજાનો ખાલી હતો તેથી તેમણે ત્રણ દિવસનો સમય માંગ્યો. રાજા સ્વર્ણ મુદ્રાઓને ભેગી કરવાનો ઉપાય વિચારવા લાગ્યા. તેમણે ભગવાન કુબેર પાસે પણ મુદ્રાઓ માંગી. પરંતુ કોઈ ફાયદો ન થયો.
ત્યારે રાજા રઘુએ સ્વર્ગ લોક પર આક્રમણ કરવા વિશે વિચાર્ય. રાજાએ આ પગલાથી દેવરાજ ઈંદ્ર ગભરાઈ ગયા અને કુબેરને સ્વર્ણ મુદ્રાઓ આપવા કહ્યું. ઈંદ્ર દેવના આદેશ પર કુબેરે રાજાના ત્યાં હાજર શમી વૃક્ષના છોડને સ્વર્ણમાં બદલી નાખ્યો. વિજયાદશમીના દિવસે આ ઘટના બની હતી. ત્યારથી દશેરા પર શમીના વૃક્ષની પૂજા કરવાની પરંપરા ચાલી છે. આ દિવસે શમીની પૂજાથી ધનધાન્યની પ્રાપ્તિ થાય છે.
કેવી રીતે કરશો પૂજા?
દશેરાના દિવસે ગંગા કે નર્મદાનું જળ શમીના વૃક્ષને અર્પિત કરો. દીવો કરીને તેની આરતી કરો અને વૃક્ષને પ્રણામ કરો. પૂજા બાદ વૃક્ષના પાન તોડને મંદિરમાં મુકી દો. લાલ કપડામાં અક્ષત, એક સોપારીની સાથે આ પાનને બાંધી લો. ત્યાર બાદ તેની પોટલીને ગુરૂ કે વૃદ્ધ પાસેથી પ્રાપ્ત કરો અને ભગવાન શ્રીરામની પરિક્રમા કરો. તમારા ઘરે ક્યારેય ધનની કમી નહીં થાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir