બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Doctor of Veraval Dr. No complaint has been registered yet in the case of Atul Chag's suicide
Dinesh
Last Updated: 09:48 PM, 2 April 2024
વેરાવળમાં જાણિતા ડૉ.અતુલ ચગની આત્મહત્યાનો મામલો સુલજવાની જગ્યા રોજે રોજ ઉલજતો હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. ચગની આત્મહત્યા મામલે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી. મૃતકના પરિવારજનોએ લેખિત અરજી આપ્યાના કલાકો બાદ પણ ફરિયાદ નોંધાઈ નથી.
અરજી આપ્યાના 2 દિવસ બાદ પણ ન નોંધવામાં આવી ફરિયાદ
ડૉ.અતુલ ચગના પુત્રએ પોલીસમાં આપેલી અરજીને 48 કલાક કરતા વધુ સમય થયો છે પરંતુ હજુ સુધી ફરિયાદ ન નોંધાતા અનેક તર્ક વિતર્ક શરૂ થયાં છે. અરજી આપ્યાના 2 દિવસ બાદ પણ ફરિયાદ ન નોંધવામાં આવતા પરિજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે ફરિયાદ નોંધવા પરિવારની માગ છે. પોલીસ સુસાઈડ નોટના FSL રિપોર્ટની રાહ જોતી હોવાની ચર્ચા શરૂ થઈ છે. અતુલ ચગના આપઘાત મામલે સાંસદ રાજેશ ચુડાસમાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ નોંધવા પરિવારની માગ
તમને જણાવી દઈએ કે, સુસાઈડ નોટમાં નારણ નામના વ્યક્તિ અને રાજેશ ચુડાસમાનું નામ હતું. ડોક્ટર અતુલ પરિવારજનો દ્વારા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે ફરિયાદ નોંધવા પરિવારની માગ કરી રહ્યાં છે. જો કે, પોલીસ સુસાઈડ નોટના FSL રિપોર્ટની રાહ જોતી હોવાની ચર્ચા છે.
ન્યાય આપવાની માગ
આત્મહત્યા બાદ તબીબ અતુલ ચગની સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં નારણ નામના વ્યક્તિ અને રાજેશ ચુડાસમાનું નામ હતું. જેથી રઘુવંશી ક્રાંતિ મંચના ઉપપ્રમુખે રાજકીય વગ ધરાવતા લોકોને આપઘાત માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથે જ તેમણે સુસાઇડ નોટમાં રાજકીય વગ ધરાવતા લોકોના નામ હોવાનું નિવેદન આપ્યું હતું. જવાબદાર લોકો સામે નક્કર કાર્યવાહી કરવા અને મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માગ કરી હતી
પરિવારજનોનો આક્ષેપ
અગાઉ પરિવારજનોએ કહ્યું હતું કે, અતુલ ચગે રાજેશ ચુડાસમાના પિતાનો જીવ બચાવ્યો હતો. આમ છતાં તેમણે અતુલ ચગનો જીવ લીધો છે. વધુમાં પરિવારના સભ્યોએ કહ્યું હતું કે, ડૉ.અતુલ ચગ આર્થિક કારણથી આવું પગલું ક્યારેય ભરે નહીં. તે મજબૂત મનોબળના માનવી હતા. અતુલ ચગે પોતાના જીવનમાં અનેક ચડાવ-ઉતાર જોયા છે. જેથી તે આર્થિક કારણોસર આત્મહત્યા જેવું પગલું ભરી શકે નહીં. આ આત્મહત્યા આર્થિક કારણોને લઇ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
શુ હતો સમગ્ર મામલો?
ગત તારીખ 12 ફેબ્રુઆરી ના રોજ વેરાવળના નામાંકિત તબીબ ડોક્ટર અતુલ ચગે હોસ્પિટલના ઉપરના માળે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જે મામલે સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકની સ્યુસાઈડ નોટ સંદર્ભે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી. આ મામલે અનેક ચોંકાવનારા આરોપ લાગી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ