બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / do these auspicious work at main entrance every morning lakshmi ji comes home

વાસ્તુ ટિપ્સ / નિયમિત સવારે ઘરના મુખ્ય દ્વાર પર કરો આ કામ, મા લક્ષ્મીનો નિવાસ થવાની છે માન્યતા

Bijal Vyas

Last Updated: 06:52 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારા ઘરમાં આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો જરુરથી આ નિયમનોનું પાલન કરો. મા લક્ષ્મીનું અવશ્ય તમારા ઘરમાં આગમન થશે..

  • હિન્દુ ધર્મમાં સ્વસ્તિકના ચિહ્નને ખૂબ જ શુભ માનવામાં આવે છે
  • સવારે અને સાંજે ઘરના મુખ્ય દરવાજા પર નિયમિતપણે ઘીનો દીવો પ્રગટાવો
  • ઘરના મુખ્ય દરવાજા પર રંગોળી બનાવો

Lakshmi Ji Upay:ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેવા માટે ઘરમાં સકારાત્મકતા હોવી ખૂબ જ જરૂરી છે. જો તમે દરરોજ ઘરના મુખ્ય દરવાજા પર આ વસ્તુઓ કરો છો, તો દેવી લક્ષ્મીનું તમારા ઘરમાં આગમન થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની સાથે સાથે ઘરના મુખ્ય દરવાજાને પણ સાફ રાખવો જરૂરી છે. જો ઘરનો મુખ્ય દરવાજો ગંદો હોય તો ઘરમાં નકારાત્મકતા ઝડપથી પ્રવેશ કરે છે. એટલા માટે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા ઘરના મુખ્ય દરવાજા અને એન્ટ્રસને સાફ કરો. આ પછી મુખ્ય દરવાજાની બંને બાજુ પાણી રેડો.

શુક્રવારના દિવસે દાન કરો આ રંગની વસ્તુ, પ્રસન્ન થશે માતા લક્ષ્મી, જાણો ખાસ  ઉપાય વિશે | Donate this colored item on Friday Maa Lakshmi will be pleased  know about the special remedy

હિન્દુ ધર્મમાં સ્વસ્તિકના ચિહ્નને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, તેને ઘરની બહાર લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. દરરોજ ઘરના માલિક અથવા મોટા પુત્રએ ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ કંકુંથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવીને તેની પૂજા કરવી જોઈએ. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

ભારતીય પરંપરાઓમાં, ખાસ પ્રસંગોએ ઘરના મુખ્ય દરવાજા પર રંગોળી બનાવવામાં આવે છે. ખાસ કરીને દિવાળીમાં રંગોળી બનાવવાની પરંપરા છે. માનવામાં આવે છે કે, તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. પરંતુ આ નિયમિતપણે કરવું જોઈએ. તમે લોટ વડે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ નાની રંગોળી અથવા મા લક્ષ્મીના પગના ચિહ્ન બનાવી શકો છો.

કેવું હોવું જોઇએ ઘરનું પ્રવેશ દ્વાર, જાણો વાસ્તુ શાસ્ત્રના આ જરૂરી નિયમ |  main gate vastu tips

દરરોજ ઘરમાં પૂજા-પાઠ કરો. પૂજા કર્યા પછી ઘરના મુખ્ય દરવાજા પર વાસણમાં પાણી અને હળદરને મિક્સ કરીને મુખ્ય દરવાજા પર છંટકાવ કરો. આમ, કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

સવારે અને સાંજે ઘરના મુખ્ય દરવાજા પર નિયમિતપણે ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં વાસ કરે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ