બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / ગુજરાત / અમદાવાદ / Disease outbreak in two cities including Ahmedabad traffic jam of patients in hospital
Vishal Khamar
Last Updated: 11:16 PM, 27 March 2024
રાજ્યમાં ઠંડી બાદ આવેલી ગરમી સાથે રોગચાળો વકર્યો છે. જેણે તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે શહેરમાં ઝાડા-ઊલ્ટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરા જેવા પાણીજન્ય રોગચાળાના 855 કેસ નોંધાયા છે. કોલેરાના 4 કેસ આવતાં મ્યુનિ.એ છેલ્લા 3 મહિના દરમિયાન કરેલી પાણીની તપાસમાં 157 સેમ્પલ અનફીટ આવ્યા છે. અર્થાત્ આ પાણી પીવાલાયક હતું નહીં. અનફીટ સેમ્પલમાંથી સૌથી વધુ 98 દક્ષિણ ઝોનના હતા. 2023માં પણ દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ 414 પાણીના સેમ્પલ અનફીટ સેમ્પલ પુરવાર થયા હતા. તો માર્ચના 24 દિવસમાં જ પાણીજન્ય રોગચાળો વકર્યો છે.
આ સાથે જ H1N1 na કેસમાં પણ વધારો નોંધાયો છે. જ્યાં શહેરમાં 173 કેસ નોંધાયા જે ગત વર્ષના માર્ચ મહિનામાં 100 કેસ હતા. તો આ વર્ષના કેસમાં અસારવા સિવિલમાં H1N1 5 દર્દીને નોંધાયા દાખલ કરાયા છે. 5 કેસમાં એચ વન એન વનનું એક દર્દી જે સ્ટેબલ થતા તેને રજા આપી દેવામાં આવી. હાલ હોસ્પિટલમાં 4 દર્દી દાખલ છે. આ 4 દર્દીઓ 48 વર્ષથી 63 વર્ષ સુધીમાં દર્દી છે. 3 દર્દી એવા છે જેને સિવિયર કો-મોરબિલિટીઝ છે. જે 3 દર્દી ગુજરાતના અને એક દર્દી મધ્યપ્રદેશનું છે. દર્દીઓમાંથી 1 દર્દી વેન્ટિલેટર પર અને 2 દર્દી સામાન્ય ઓક્સિજન પર છે. તો બીજી તરફ હાલ કોવિડ ના 2 દર્દી અસારવા સિવિલમાં દાખલ છે. જે બંને દર્દી સિવિયર મોરબીડિટીઝ વાળા છે. 1 દર્દી 40 વર્ષના પુરુષ છે અને બીજો દર્દી 75 વર્ષના મહિલા છે. બંને દર્દીને સામાન્ય ઓક્સિજન પર રખાયા છે.
શહેરમાં વધેલા રોગચાળામાં ઝાડા-ઊલટીના 562, કમળાના 85, ટાઇફોઇડના 204, તેમજ કોલેરાના 4 કેસ સામે આવ્યા છે. પાણીજન્ય રોગચાળો વકરતાં કરવામાં આવેલી તપાસમાં પકડાયું હતું કે, 406 કિસ્સામાં પાણીમાં ક્લોરિન હતું જ નહીં. તો છેલ્લા 24 દિવસમાં પાણીના સેમ્પલોની ચકાસણીમાંથી 60માં બેક્ટેરિયા પકડાયો હતો. દાણીલીમડામાં પાણીના સૌથી વધુ 32, બહેરામપુરામાં 24, વટવામાં 18, લાંભામાં 11, ઈસનપુરમાં 6, મણિનગરમાં 1 સેમ્પલ ફેલ પુરવાર થયું હતું. ઉપરાંત ગોમતીપુરમાં 3, વિરાટનગરમાં 3, નિકોલમાં 2, સરસપુરમાં 3, કુબેરનગરમાં 2, મક્તમપુરામાં 4, ચાંદખેડામાં 2 સેમ્પલમાં પાણીમાં બેક્ટરિયા મળ્યા હતા. જે એજ બતાવે છે કે શહેરમાં ક્યાંક પીવા લાયક પાણી નથી. તો ઋતુના કારણે રોગચાળો પણ વકરી રહ્યો છે.
રાજકોટ શહેરમાં રહેલી સવારે ઠંડી તો બપોરે આક્રમક તડકા પડી રહ્યા છે ત્યારે રોગચાળાના કેસમાં પણ વધારો નોંધાયો છે ગયા સપ્તાહમાં સરકારી દવાખાનામાં 1500 થી વધુ શરદી ઉધરસ અને તાવના દર્દીઓ નોંધાયા હતા. ગત સપ્તાહે સૌથી વધુ શરદી ઉધરસના 1091 કેસ નોંધાયા હતા. સામાન્ય તાવના 281 કેસ નોંધાયા હતા.ઝાડા ઉલ્ટીના 192 કેસ નોંધાયા હતા..ટાઇફોઇડ તાવના 02 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળા નો સૌથી વધુ પ્રકોપ પછાત વિસ્તારોમાં જોવા મળ્યો હતો.
વધુ વાંચોઃ સુરતીઓને કોણ પસંદ? મુકેશ દલાલ કે નિલેશ કુંભાણી, જ્ઞાતિના સમીકરણથી રસાકસી
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું હતું કે હાલ જે રોગચાળો વકરીઓ છે તેમનું કારણ એ છે કે સવારમાં ઠંડુ વાતાવરણ હોય છે જ્યારે બપોરે 40 ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી જતું હોય છે આ ઉપરાંત અન્ય પરિબળો પણ જવાબદાર છે જેમના કારણે રોગચાળો વોકર્યો છે. શહેરીજનો માટે ચિંતાનો કારણ કહી શકાય તે સીઝનલ ફ્લૂ કે જે ભૂતકાળમાં સ્વાઈન ફ્લૂ તરીકે ઓળખાતો હતો તે ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે સીઝનલ ફ્લુ ની કેટેગરી એ અને કેટેગરી બિ ના ટેસ્ટ થતા નથી હોતા પરંતુ ખેતી કરી સી એટલે કે જે કે સિરિયસ જણાય છે તેમના ટેસ્ટ કરવામાં આવતા હોય છે. સરકારી ઉપરાંત રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ વધારે જોવા મળે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh