બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / diamond trader donates 101 kg of gold to Ayodhya Ram Mandir
ADVERTISEMENT
અયોધ્યાના નવા રામ મંદિર માટે લોકો પોતપોતાના ગજા પ્રમાણે દાન આપી રહ્યાં છે પરંતુ આ બધામાં ખરા દાનવીર તો ગુજરાતીઓ નીકળ્યાં છે. ગુજરાતીઓ રામ મંદિર માટે કરોડોનું દાન આપ્યું છે. સુરતના સૌથી મોટા હીરાના કારખાનાના માલિક દિલીપકુમાર વી.લાખીએ રામ મંદિરને 101 કિલો (5 મણ) સોનું ભેટમાં આપ્યું છે. તેમણે મોકલેલા આ સોનામાંથી મંદિરના દરવાજા બનાવાયા છે. આ રામજન્મભૂમિ ટ્રસ્ટને મળેલું સૌથી મોટું દાન છે. દિલીપકુમાર વી.લાખીએ આપેલા સોનામાંથી મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને ચમકાવવા માટે કરવામાં આવી રહ્યો છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની સાથે મંદિરના ભોંયતળિયે 14 સુવર્ણ દ્વાર લગાવવામાં આવ્યા છે.
With few hours to go for the auspicious Shri Ram Mandir Pran Pratishtha, Ayodhya is all decked up to welcome Prabhu Shri Ram
— Pratap Simha (@mepratap) January 21, 2024
Some glimpses from Ram Mandir #RamMandir #Ayodhya #PranPratishta pic.twitter.com/7OV9SvYDbc
ADVERTISEMENT
મોરારી બાપુના અનુયાયીઓએ આપ્યાં 16.3 કરોડ
બીજા નંબરનું સૌથી મોટું દાન મોરારી બાપુના અનુયાયીઓએ આપ્યું છે. તેમણે રામ મંદિર માટે 16.3 કરોડ રૂપિયા આપ્યા છે. સુરતના હીરા વેપારી ગોવિંદભાઈ ધોળકિયાએ પણ 11 કરોડ રૂપિયા મંદિરને અર્પણ કર્યા હતા.
ADVERTISEMENT
Marvellous Update!!!!!!
— “Unknown Men” (@miteshkumar10) January 14, 2024
First time light was tested at Ayodhya Ram Mandir.
Are you all set for 22nd Jan 🥳🥳🥳
Jai Shree Ram 🙏#AyodhaDham #AyodhyaRamMandir pic.twitter.com/zKJCmhI4fP
ADVERTISEMENT
મંદિર નિર્માણમાં 1300થી વધુ કરોડનો ખર્ચ
માર્ચ 2023 સુધીમાં રામ મંદિર માટે 3 હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન કરવામાં આવ્યું હતું અને તેમાં વધારો થઈ રહ્યો છે. મંદિર નિર્માણ પાછળ અત્યાર સુધીમાં લગભગ 1 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કામ પૂર્ણ થાય ત્યાં સુધી વધુ 300 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.