બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ધર્મ / Extra / devotional-ahmedabad-near-temple-of-bahucharaji-gives-miraculous-results-to-childless-couples

NULL / અમદાવાદ નજીકના આ મંદિરમાં થાય છે નિ:સંતાન દંપત્તીની મનોકામના પૂર્ણ

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં બહુચરાજીનું મંદિર માત્રા રાજ્ય અને દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ પ્રખ્યાત છે. વિદેશોમાં રહેતા ભારતીયોને પણ આ મંદિરમાં અખૂટ શ્રદ્ઘા રહેલી છે. અહીં પૂનમ જેવા તહેવારોમાં ભક્તોનો ધસારો ખાસ રહેતો હોય છે. 

આ મંદિરમા લગ્ન પછી છેડાછેડી, બાઘા વગેરે માટે બહુચરમાની પૂજા કરાય છે. આ મંદિરમાં લોકોને ખૂબ જ  આસ્થા છે. અને આસ્થા પૂર્ણ થાય છે તેવું ભક્તોનું માનવું છે. આગળ જાણો આ મંદિર સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો અને આ મંદિરે સુધી કઇ રીતે પહોંચી શકાય..

બહુચરાજીમાં ખાસ કરીને નિસંતાન દંપત્તિ સંતાનની મનોકામના સાથે અહીં આવે છે. બહુચરમાના આશીર્વાદથી લોકોના ઘરે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. અહીં કિન્નર સમુદાયના લોકો ખાસ પૂજા અને અનુષ્ઠાનનું આયોજન કરે છે. માન્યતા એવી પણ છે કે, ઘણા દુષ્ટ રાક્ષસોના ભક્ષણ કરવાથી તેમને બહુચરાજી કહેવામાં આવે છે. 

માતા કરે છે કૂકડાની સવારી:

બહુચરાજી કૂકડાની સવારી કરે છે. તેમની આ સવારીને લઇને એક પ્રચલિત દંતકથા પણ છે. કહેવાય છે કે, એક વખત અલ્લાઉદ્દીન દ્ઘિતિય પાટણને જીતીને આ મંદિરને તોડવા માટે સેના સાથે પહોંચ્યો હતો ત્યારે દેવીના વાહન મરઘા ચરી રહ્યા હતા અને સૈનિકોએ મરઘા પકડીને ખાઇ લીધા, પણ એક મરઘો બચી ગયો. જ્યારે સવારે બાંગ પોકારવાનું શરૂ કર્યુ તો સૈનિકોને પેટની અંદરથી મરઘા પણ બાંગ પોકારવા લાગ્યા અને પેટ ફાડીને બહાર આવ્યા. આ જોઈને અલ્લાઉદ્દીન સહિત તમામ સિપાહી મંદિર તોડ્યા વગર જ ભાગી ગયા.

કિન્નરો પણ કરે છે બહુચરમાની અરાધના:

એક પૌરાણિક કથા અનુસાર, ગુજરાતમાં એક વખત નિસંતાન રાજાએ સંતાન પ્રાપ્તિ માટે બહુચરમાની અરાધના કરી. માએ પ્રસન્ન થઇને તેમણે પુત્ર પ્રાપ્તિના  આશીર્વાદ આપ્યા. રાજાને ઘરે પુત્ર થયો, પણ તે નપુંસક હતો. એક દિવસ બહુચરાજી માતા તેમના સપનામાં આવ્યા અને તેને ગુપ્તાંગ સમર્પિત કરીને મુક્તિના માર્ગે આગળ વધવા માટે કહ્યુ. રાજકુમારે એવુ જ કર્યુ અને માતાજીના ઉપાસક બની ગયા.  આ ઘટના પછી તમામ કિન્નરો પણ બહુચરમાને પોતાના કુળદેવી માનીને ઉપાસના કરે છે.

આ રીતે પહોંચી શકાય છે બહુચરાજી:

આ મંદિર અમદાવાદથી 90 કિમીના અંતરે આવેલુ છે. અહીં પહોંચવા માટે અમદાવાદ રણુજા પેસેજન્સ ટ્રેન જાય છે. જે કાલુપુર સિવાય ચાંદખેડા રોડ અને સાબરમતી અને કલોલ સ્ટેશન પરથી મળી રહેશે. બહુચરાજી જવા માટે GSRTCની બસો પણ જાય છે. આ સિવાય કાર કે ટેક્સી ભાડે કરીને પણ અહીં પહોંચી શકાય છે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ