બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ભારત / Delhi High Court Not keeping Vrat for husband on Karva Choth not cruelty: 'Divorce cannot be granted on this ground'
Megha
Last Updated: 11:32 AM, 23 December 2023
દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, 'કરવા ચોથ પર ઉપવાસ કરવો કે ન કરવો એ જે-તે વ્યક્તિની પસંદગી છે અને તે ક્રૂરતા સમાન નથી. આને વૈવાહિક સંબંધોમાં ક્રૂરતા ગણી શકાય નહીં અને માત્ર આના આધારે છૂટાછેડા આપી શકાય નહીં.'
ફેમિલી કોર્ટના છૂટાછેડા આપવાના નિર્ણય સામે પત્નીની અપીલ પર પોતાનો ચુકાદો આપતાં જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને નીના બંસલ કૃષ્ણાની ડિવિઝન બેન્ચે કહ્યું કે 'અલગ-અલગ ધાર્મિક માન્યતાઓનું પાલન કરવું અને અમુક ધાર્મિક ફરજોનું પાલન ન કરવું એ ક્રૂરતા નથી અને આ કારણ વૈવાહિક બંધનોને તોડવા માટે પૂરતું નથી.'
જોકે, કોર્ટે અન્ય કારણો દર્શાવીને ફેમિલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો જેમાં પતિ દ્વારા છૂટાછેડાની અરજીને મંજૂરી આપવામાં આવી હતી કારણ કે તથ્યો પરથી એ સ્પષ્ટ હતું કે પત્નીને "પતિ અને તેમના વૈવાહિક બંધન માટે કોઈ માન નથી."
Wife not fasting on Karwa Chauth will not by itself amount to cruelty: Delhi High Court
— Bar & Bench (@barandbench) December 22, 2023
Read story here: https://t.co/nRjc1QQNYG pic.twitter.com/d1iaap3Zne
આ પતી-પત્નીના લગ્ન વર્ષ 2009 માં લગ્ન કર્યા હતા અને 2011 માં લગ્નથી એક પુત્રીનો જન્મ થયો હતો. જો કે, પતિએ કહ્યું કે લગ્નની શરૂઆતથી જ પત્નીનું વર્તન સારું ન હતું અને તેણીને તેની વૈવાહિક ફરજો નિભાવવામાં કોઈ રસ નહોતો.પતિએ એમ પણ કહ્યું કે 2009માં કરાવવા ચોથના દિવસે પત્ની તેના પર ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે તેનો ફોન રિચાર્જ ન કરાવ્યો હોવાથી ઉપવાસ ન કરવાનો નિર્ણય લીધો હતો.
આ સાથે જ પત્ની પર એવો પણ આરોપ છે એપ્રિલમાં જ્યારે પતિ બીમાર પડ્યો હતો ત્યારે પત્નીએ તેની કાળજી લેવાને બદલે તેના કપાળ પરથી સિંદૂર કાઢી નાખ્યું, બંગડીઓ તોડી નાખી અને સફેદ સૂટ પહેર્યો અને જાહેરાત કરી કે તે વિધવા બની ગઈ છે.
કોર્ટે તમામ તથ્યોને ધ્યાનમાં લીધા અને જણાવ્યું કે પત્નીનું આચરણ તેમજ હિંદુ સંસ્કૃતિમાં પ્રચલિત રિવાજોનું પાલન ન કરવો એ તેનો નિર્ણય છે. જે પતિ પ્રત્યેના પ્રેમ અને આદરની નિશાની છે, અને તેનો આ નિર્ણય એ નિષ્કર્ષને સમર્થન આપે છે કે તેણીને તેના પતી પ્રત્યે જરા પણ માન નથી.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે પતિ માટે તેના જીવનકાળ દરમિયાન તેની પત્નીને વિધવા જેવો વ્યવહાર થતો જોવાથી વધુ દુઃખદાયક અનુભવ કોઈ હોઈ શકે નહીં, હાઈકોર્ટે કહ્યું, “નિઃશંકપણે, અપીલકર્તા/પત્નીના આવા વર્તનને પ્રતિવાદી/પતિ પ્રત્યે અત્યંત ક્રૂરતાના કૃત્ય તરીકે જ ગણી શકાય.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir