બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / delhi corona update 25 patients died in sir gangaram hospital 60 are in danger of life oxygen will end in 2 hours
Dharmishtha
Last Updated: 10:01 AM, 23 April 2021
આઈસીયુ અને ઈડીમાં મૈન્યુઅલ રીતે વેન્ટિલેશન કરવામાં આવી રહ્યુ છે
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કારણે સંક્રમણ વધવાથી સ્થિતિ વણસી છે. તાજા સમાચાર મુજબ સર ગંગારામ હોસ્પિટલ સાથે જોડાયેલા છે. ગત વર્ષ 24 કલાકમાં 25 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે અને 60 ગંભીર રુપથી બિમાર લોકોના જીવે ખતરો છે. હોસ્પિટલ તરફથી મોકલવામાં આવેલા સંદેશમાં ઓક્સિજનની તાત્કાલિક જરુર હોવાનું કહેવામાં આવ્યું છે. હોસ્પિટલમાં માત્ર થોડાક જ કલાક ઓક્સિજન બચ્યો છે. હોસ્પિટલનું કહેવું છે કે વેન્ટિલેટર અને બાઈલેવલ પોઝિટિવ એરવે પ્રેશર અસરકારક રીતે કામ નથી કરી રહ્યા. આઈસીયુ અને ઈડીમાં મૈન્યુઅલ રીતે વેન્ટિલેશન કરવામાં આવી રહ્યુ છે.
સર ગંગારામ હોસ્પિટલમાં 37 ડોક્ટર કોરોના પોઝિટિવ મળ્યા
ત્યારે ગત દિવસોમાં સમાચાર આવ્યા છે કે સર ગંગારામ હોસ્પિટલમાં 37 ડોક્ટર કોરોના પોઝિટિવ મળ્યા છે .જેમાંથી 5 હોસ્પિટલોમાં દાખલ હતા. અન્યને ડોક્ટરોને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. જાણકારી મુજબ આમાંથી મોટા ભાગના ડોક્ટરો એવા છે જે કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. હોસ્પિટલ પ્રશાનસના જણાવ્યાનુસાર તમામ ડોક્ટરોમાં માઈલ્ડ સિમ્ટમ્સ હતા અને કોઈ ગંભીર હાલતમાં નહોંતા.
ગુરુવારે કોરોના સંક્રમણના 26, 169 નવા મામલા સામે આવ્યા
હકિકતમાં દિલ્હીમાં કોરોના વાયરસના મામલા બહું ઝડપથી વધી રહ્યા છે. ત્યારે થોડીક વાર પહેલા સમાચાર આવ્યા હતા કે દિલ્હીની હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનની અછતની વચ્ચે ગુરુવારે કોરોના સંક્રમણના 26, 169 નવા મામલા સામે આવ્યા છે. આ ઉપરાંત 306 સંક્રમિત દર્દીઓના મોત થયા છે. દિલ્હામાં સંક્રમણનો દર 36.24 ટકા રહ્યો જે ગત વર્ષ મહામારીની શરુઆત બાદથી સૌથી વધારે છે. સ્વાસ્થ્ય વિભાગના બુધવારે 24, 638 , મંગળવારે 28, 395 જ્યારે સોમવારે 23, 686 નવા મામલા આવ્યા હતા.
કુલ કેસની સંખ્યા 9, 56, 348 થઈ
દિલ્હીમાં ગુરુવારે સોમે આવ્યા નવા કેસથી શહેરના કુલ કેસની સંખ્યા 9, 56, 348 થઈ છે. મૃતકોની સંખ્યા વધીને 13,193 સુધી પહોંચી ગઈ છે. બુલેટિન મુજબ દિલ્હીમાં બુધવારે 72, 208 નમૂનાની તપાસ કરવામાં આવી છે. દિલ્હીમાં અત્યાર સુધી 8.51 લાખથી વધારે દર્દી સાજા થયા છે. જ્યારે 91, 618 એક્ટિવ કેસ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ