બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Kishor
Last Updated: 08:27 PM, 11 May 2022
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે પ્રથમ વખત રાજકોટ આવ્યાં છે જ્યાં તેમણે એક જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ગુજરાતની પ્રજાના વખાણ કર્યા હતા. જનસભાને સંબોધન કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે, પહેલા મને દિલ્હી અને પંજાબની જનતા પ્રેમ કરતી હતી. હવે ગુજરાતના લોકો પણ ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા છે.
ગુજરાત સરકારને લીધી આડેહાથ
રાજકોટમાં જનસભાને સંબોધન કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં અમારી સરકાર છે અને છેલ્લા 3 વર્ષમાં અમે 50 હજારથી વધુ વૃદ્ઘોને તીર્થ યાત્રા કરાવી છે, ગુજરાત સરકારે અત્યાર સુધીમાં એકપણ વખત વૃદ્ધોને તીર્થ યાત્રા કરાવી ? સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર આવશે એટલે ગુજરાતમાં પણ આ યોજના શરૂ કરવામાં આવશે.
શિક્ષણ વ્યવસ્થા પર કર્યો સવાલ
સાથે જ તેમણે સભાને સંબોધતા કહ્યું હતું કે, મને રાજનીતિ કરતા નથી આવડતી, મને કામ કરતા આવડે છે. સાથે જ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર ફરી સવાલ કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે,ગુજરાતમાં સરકાર શાળાઓની સ્થિતિ બહુ ખરાબ છે, સરકારી શાળાઓમાં છત તૂટેલી છે તો કેટલીક શાળાઓમાં ઓરડા પણ નથી. સામે દિલ્હીમમાં અમે સરકારી શાળાનો વિકાસ કર્યો છે અને આ શાળાઓનું પરિણામ હવે 99.99 ટકા આવી રહ્યું છે.
હું શાળા અને હોસ્પિટલના નામે મત માગીશ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કેજરીવાલે રાજકોટમાં જનસભાને સંબોધન કરતા રાજ્યના નાગરિકો પાસે એક તક માગી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતના લોકો પાસે એક મોકો માગું છું, હું શાળાઓ અને હોસ્પિટલ માટે મત માગીશ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ