બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / Dakor Mandir VIP culture decision will be withdrawn? A meeting of trustees and BJP leaders in Nadiad, hinting at an announcement later today
Vishal Khamar
Last Updated: 06:22 PM, 30 August 2023
ડાકોર ખાતે ભગવાન રણછોડરાયનાં VIP દર્શન કરવા માટે પૈસા ચૂકવવાનાં મંદિરનાં ટ્રસ્ટ્રીઓનાં તઘલખી નિર્ણયનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડાકોર ટેમ્પલ કમિટી VIP દર્શન મામલે પૂનમનાં બીજા દિવસે નિર્ણય પાછો ખેંચવાનો યુ ટર્ન લઈ શકે છે. મંદિર કમિટી દ્વારા નડીયાદમાં ચેરમેન ટ્રસ્ટ્રીઓ અને ભાજપનાં આગેવાનો, સરપંચ એસોસિયેશન, ક્ષત્રિય આગેવાનો સાથે મીટીંગ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી પૂનમ પહેલા જાહેરાત ન થાય તો વિરોધ વધી શકે છે.
મંદિરનાં ટ્રસ્ટ્રીઓ એમનાં સ્વાર્થ માટે રૂપિયા ઉઘરાવવાની વાત કરે છેઃ પૂર્વ ધારાસભ્ય
પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયનાં VIP દર્શન કરવા માટે રૂ. 500 ચૂકવવા પડશે. જે નિર્ણયનો હિંન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાયો હતો. જ્યારે ભક્તો દ્વારા અલગ અલગ નિવેદન આપવામાં આવતા હતા. ત્યારે ડાકોરમાં VIP દર્શન મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારે નિવેદન આપ્યું છે કે, મંદિરનાં ટ્રસ્ટ્રીઓ એમનાં સ્વાર્થ માટે રૂપિયા ઉઘરાવવાની વાત કરે છે. તેમજ પૂર્વ ધારાસભ્ય દ્વારા તો મંદિરનાં ટ્રસ્ટ્રીઓ પર કટકી કરવાનો આરોપ લગાવ્યો છે.
મંદિર ટ્રસ્ટ અને સંચાલકોને માત્ર રૂપિયા એકત્ર કરવા અને વહીવટમાં જ રસઃ કાંતિ પરમાર
ત્યારે વધુમાં કાંતિ પરમારે જણાવ્યું હતું કે, ડાકોર અને ગુજરાતમાં રૂપિયાથી દર્શન હોવા જોઈએ. મંદિર પાસે ઘણા રૂપિયા છે છતાં ભક્તોને કોઈ સુવિધા અપાતી નથી. મંદિર ટ્રસ્ટ અને સંચાલકોને માત્ર રૂપિયા એકત્ર કરવા અને વહીવટમાં જ રસ છે. ત્યારે ડાકોર મંદિર કમિટીનો નિર્ણય તદ્દન ખોટો છે તેને તાત્કાલિક રદ્દ કરવો જોઈએ. મંદિર કમિટીનાં નિર્ણયનો ક્ષત્રિય સંગઠનો- સરપંચ તેમજ એસોસિએશન દ્વારા વિરોધ કર્યો છે.
શું છે સમગ્ર મામલો
ડાકોરમાં મંદિરની કમિટીના વિવાદિત નિર્ણય પ્રમાણે હવે ભક્તોએ રણછોડ રાયના નજીકથી દર્શન માટે રૂ.500 ચૂકવવા પડશે. આ સાથે મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. જોકે ગઈકાલે આ નિર્ણયના પ્રથમ દિવસે ગુરુવારે 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir