બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Divyesh
Last Updated: 12:07 PM, 14 March 2020
પહેલા વિશ્વ યુદ્ધમાં જેટલા લોકો માર્યા ગયા, સ્પેનિશ ફલૂએ તેના કરતાં બે ગણા લોકોને શિકાર બનાવ્યા હતા. એવુ માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન દુનિયામાં અંદાજે 5 કરોડથી 10 કરોડ લોકો માર્યા ગયા હતા. એટલું જ નહીં, તેને મનુષ્યના ઇતિહાસની સૌથી ભીષણ મહામારીઓમાંની એક માનવામાં આવી હતી.
એવુ જણાવામાં આવ્યું હતું કે સ્પેનિશ ફલૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાદાને પણ પોતાનો શિકાર બનાવ્યાં હતા. કોરોના વાયરસ અને સ્પેનિશ ફૂલની સરખામણી એટલા માટે કરવામાં આવી રહી છે, કારણ કે બંને મહામારીએ લોકોની અંદર ભય પેદા કર્યો છે.
પ્રારંભમાં સ્પેનિશ ફલૂની ખબર દબાવામાં આવી હતી
સ્પેનિશ ફૂલનું કેન્દ્ર સ્પેન હતું. આ 1918નો સમય હતો જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્રણ દેશ - અમેરિકા, બ્રિટેન અને ફ્રાંસમાં આ ફલૂની શરૂઆત થઇ હતી. ત્યાર બાદ સ્પેન પણ તેનાથી બચી શક્યું નહોતું. ફલૂની રિપોર્ટ સૌથી પહેલા સ્પેનમાં દાખલ થઇ હતી, જેને લઇને તેને સ્પેનિશ ફલૂ કહેવામાં આવે છે.
શું કોરોના અને સ્પેનિશ ફલૂની સરખામણી થવી જોઇએ?
લૌરા સ્પિનની અને લેખમાં પુછવામાં આવ્યો કે શું આપણે કોવિડ-19ની સરખામણી સ્પેનિશ ફલૂ સાથે કરવી જોઇએ? ફલૂ અને કોવિડ-19નું કારણ બનનારા વાયરસ બે અલગ-અલગ પરિવારના છે. Sars-CoV-2 ના કારણે કોવિડ-19 આવ્યો જે કોરોના વાયરસથી સંબંધિત છે. SARS (સિવિઅર એક્યૂટ રેસ્પિરેટરી સિંડ્રોમ જે 2002 માં ચીનમાં ઉત્પન્ન થયું) તેમજ MERS (મિડલ ઇસ્ટ રેસ્પરેટરી સિંડ્રોમ જે 2012માં સાઉદી અરબમાં શરૂ થયું) વચ્ચે અધિક સમાનતા છે.
એટલા માટે સ્પેનિશ ફૂલ જેટલો ખતરનાક ન થયો કોરોના
સ્પિનની પોતાના લેખમાં જણાવ્યું કે ફલૂનો વાયરસ જનસંખ્યાના માધ્યમથી ઝડપથી અને અપેક્ષાકૃત સમાન રીતે ફેલાય છે જ્યારે કોરોનાવાયરસ જથ્થામાં સંક્રમિત થાય છે. આ જ કારણ છે કે સૈદ્ધાંતિક રીતે કોરોના વાયરસના પ્રકોપને રોકવાનું આસાન હોય છે. સૌથી મોટી વાત એ છે કે 1918માં અત્યાર સુધીમાં દુનિયાભરમાં ઘણો ફેરફાર આવી ચૂક્યો છે.
1918માં મોટી સંખ્યામાં લોકો ધાર્મિક નેતાઓ પર ભરોસો રાખતા હતા. તે સમયે લોકો આરોગ્યના જાણકારોની સલાહ ઓછી માનતા હતા. ઉદાહરણ તરીકે સ્પેનિશ શહેર જમોરામાં આરોગ્ય અધિકારીઓથી અલગ સ્થાનિક બિશપ સંત રોકોના સન્માનમાં ફલૂ દરમિયાન સતત 9 દિવસ સુધી સાંજે પ્રાર્થનાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે જમોરામાં જ ફલૂથી સૌથી વધારે મોત નિપજ્યાં હતા. અહીં મરનારાઓનો આંકડો પૂરા યૂરોપમાં સૌથી વધારે હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ