બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / coronavirus 7 migrants workers return from maharashtra tested positive in uttar pradesh
Dharmishtha
Last Updated: 02:53 PM, 2 May 2020
એક તરફ કેન્દ્ર સરકારે લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓના સ્થળાંતરમાં રાહત આપવાની જાહેરાત કરી છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશના મહારાષ્ટ્રના 7 સ્થળાંતર મજૂરો કોરોના વાયરસથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદથી સરકાર અને પ્રશાસનની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. આ તમામ પીડિતો બસ્તી જિલ્લામાં છે. રાહત એ છે કે દરેકને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્ય હતા. હવે આ તમામને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે . તેમજ ક્વોરેન્ટાઇન સેન્ટરને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તાર બહારથી આવતા પરપ્રાંતિય મજૂરોના કોરોના પોઝિટિવનું એક મોટું ક્લસ્ટર બની ગયું છે. ઉલ્લેખનીય કે, 25 માર્ચથી લોકડાઉનની જાહેરાત બાદ દેશના ઘણા ભાગોમાં લાખો પરપ્રાંતિય મજૂરો અટવાઈ ગયા હતા. કોરોના રોગને કારણે અત્યાર સુધીમાં 1200 જેટલા લોકોનાં મોત નીપજ્યાં છે અને 37,000 જેટલા કેસ નોંધાયા છે.
ઘણા એવા પરપ્રાંતિય મજૂરો પણ છે જેઓ તેમના ગામ પહોંચવા માટે સેંકડો કિલોમીટર ચાલ્યા ગયા હતા. તેમાંથી ઘણાએ રસ્તામાં જીવ ગુમાવ્યો હતો. દેશના ભાગોમાં ફસાયેલા મજૂરો સતત ઘરે જવાની માંગ કરી રહ્યા હતા અને યુપી સહિત અનેક રાજ્ય સરકારએ પહેલ કરી રહી હતી. જો કે આના પર ઘણા મતભેદ પણ રહ્યા છે. અંતે મજૂરોની હાલત જોઈને કેન્દ્ર સરકારે ઢીલ મુકી છે અને ઘણી જગ્યાએથી વિશેષ ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ