બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Complaint against 32 people in the incident of stone pelting on a procession in Kheralu
Last Updated: 02:06 PM, 22 January 2024
ADVERTISEMENT
મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ ખેરાલુ પોલીસ દ્વારા પથ્થરમારાને લઈ ફરિયાદ નોંધવામાં આવી છે. ગઈકાલે સાંજે બનેલી ઘટનામાં નામજોગ 32 શખ્શો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં ખેરાલુ PSI જે.કે.ગઢવી ફરિયાદી બન્યા છે. આરોપીઓએ કાવતરૂ રચીને પથ્થરમારો કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ ઘાતક હથિયારોથી હુમલો થયાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. ફરિયાદી પીએસઆઈ અને અન્ય એક વ્યક્તિને પણ ઈજા પહોંચી છે.

ADVERTISEMENT
ગતરોજ ખેરાલુમાં શોભાયાત્રા નીકળી હતી
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ખુણે ખુણે તેની ઊજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની હતી. શોભાયાત્રા બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પર રહેલી અમુક મહિલાઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના કેટલાક ચોંકાવનારા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકો પથ્થરમારો કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ પણ પથ્થરમારો કરી રહ્યા છે.

ADVERTISEMENT
શોભાયાત્રા પર ગત રોજ પથ્થરમારો કર્યો હતો
મહેસાણાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બન્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. શોભાયાત્રા બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પર રહેલી અમુક મહિલાઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના કેટલાક ચોંકાવનારા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકો પથ્થરમારો કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ પણ પથ્થરમારો કરી રહ્યા છે.
વધુ વાંચોઃ અયોધ્યામાં રામજીના આગમનથી હનુમાનજીને આવ્યા હરખના આંસુ! અમરેલીમાં ચમત્કારનો દાવો, ભક્તો ભાવવિભોર
ADVERTISEMENT
ધાબા પરથી મહિલાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો
મળતી માહિતી પ્રમાણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની યાત્રા ખેરાલુની કડીયા બજાર વિસ્તારમાંથી પ્રસાર થઈ રહી હતી. ત્યારે ધાબા પરથી મહિલાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અનેક યુવાનોએ પણ યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.