બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ
vtvAdmin
Last Updated: 05:38 PM, 30 March 2019
14મી વિધાનસભા રચવા માટે જનતાએ ભાજપને બહુમતીથી જનાદેશ આપી દીધો છે.હવે નવામંત્રીમંડળની શપથવિધિ માટેની તડામાર તૈયારી ચાલી રહી છે. નિયમ મુજબ નવા મુખ્યમંત્રીની નિમણુંક થાય ત્યાં સુધી ગત વિધાનસભાના મુખ્યમંત્રી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે હોદ્દો સંભાળશે.
શપથવિધિ બાદ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલ ઓ.પી. કોહલીને પોતાનું રાજીનામું સુપરત કરશે. એ સાથે ગત વિધાનસભાનું મંત્રીમંડળ પણ રાજીનામું આપશે. ભાજપ જીતેલા ઉમેદવારોની બેઠક બોલાવશે જેમાં રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે આવેલ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો 99 બેઠક સાથે વિજય થતાં ગુજરાતમાં 6 ઠ્ઠી વાર પોતાની સરકાર રચવામાંટે સજ્જ થઇ છે. અને આ કારણોસર 25 મી ડિસેમ્બરે ભારતના પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇના જન્મદિને નવી સરકાર ગુજરાતમાં શપથ લે તેવા ખાસ આયોજનો હાલ ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
જોકે બજારમાં ફરતા થયેલ કેટલાક સંદેશાઓ પરથી લાગી રહ્યુ છે કે ગુજરાતની સત્તાનો શિરતાજ નક્કિ કોઇ નવો ચહેરો જ પહેરશે. પરંતુ આ બાબતોથી પર રહી તમામ ગુજરાતીઓ મીટ માંડીને બેઠા છે કોણ હવે ગુજરાતના મુખ્યપ્રધાનપદે બિરાજમાન થાય છે.
વિજય રૂપાણી રાજ્યપાલ ઓ..પી. કોહલીને આપશે રાજીનામું
મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણી આપશે રાજીનામું
શપથ વિધિ પહેલા વિજય રૂપાણી રહેશે કાર્યકારી મુખ્યમંત્રી
નવા મુખ્યમંત્રી શપથ લે ત્યાં સુધી રૂપાણી રહેશે કાર્યકારી મુખ્યમંત્રી
મંત્રી મંડળ પણ આપશે રાજીનામું
ભાજપ જીતેલા ઉમેદવારોની બેઠક બોલાવશે
બેઠકમાં રાજ્યના નવા મુખ્યનંત્રી અંગે ચર્ચા કરાશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ