બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / chhota udaipur gujarat Shop of Truste
Kavan
Last Updated: 10:47 PM, 31 December 2019
પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નાનકડા એવા કેવડી ગામના લોકો માટે પ્રામાણિક બની રહેવું તે જાણે સામાન્ય વાત બની ગઈ છે. અહીં જે કરિયાણાની દુકાન આવી છે તે ગામલોકો માટે પ્રાણાણિકતાનો માપદંડ બની ગઈ છે. કેમ કે, 24 કલાક ખૂલી રહેતી એ દુકાનને ક્યારેય તાળુ મારવામાં આવતું નથી.
છોટા ઉદેપુરના ગામડામાં આવેલી આ દુકાનને નથી લાગતા તાળા
આપે મોટા શહેરોમાં એવા અનેક શો રૂમ જોયા હશે જેને રાત્રે તાળા લાગેલા હોય છતાં સિક્યુરિટીગાર્ડની જરૂર પડતી હોય છે. આ રીતે રાખવામાં આવતી સિક્યુરિટી સભ્યસમાજની પ્રામાણિકતાની ચાડી ખાય છે. પરંતુ મહાનગરોથી ઘણે દૂર એવા છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને જંગલ વિસ્તારમાં આવેલી એક દુકાનને આજ સુધી કોઈ તાળાની જરૂર નથી પડી.
લોકો સ્વયંભૂ રીતે વસ્તુ લઇને નાણા પેટીમાં મૂકી દે છે
આ કરિયાણાની દુકાન છોટાઉદેપુર તાલુકાના કેવડી ગામમાં આવેલી છે. અનેક પ્રકારના માલસામાનથી લદોલદ આ દુકાનની ખાસિયત એ છે કે આ દુકાનને કયારેય તાળું મારવામાં આવતું નથી. આદિવાસી લોકોના વિસ્તાર વચ્ચે આવેલી આ દુકાનમાંથી ગ્રાહકો જાતે જ વસ્તુ પસંદ કરીને લઈ જાય છે અને સ્વયંભૂ રીતે જ વસ્તુની કિંમતના નાણા પેટીમાં મૂકી દે છે. નાના બાળકોને નાસ્તો જોઈતો હોય કે, પુખ્ત નાગરિકોને જીનવ જરૂરી ચીજ વસ્તુ જોઈતી હોય, અહી સેલ્ફ સર્વિસને સહુ કોઈ અનુસરે છે અને પૈસા ચૂકવવામાં પ્રામાણિકતા દાખવે છે.
24 કલાક ખૂલી રહેતી દુકાનમાં દુકાનદાર જ નથી હોતા
નવાઈની વાત એ છે કે, 24 કલાક ખૂલી રહેતી આ દુકાનમાં મોટાભાગે દુકાનદાર હાજર હોતા જ નથી. દુકાનદારની ગેરહાજરીમાં પણ ગ્રાહકો પ્રામાણિકતાથી ગલ્લામાં પૈસા મૂકી દે છે. જો ક્યારેક ગ્રાહક પાસે પૈસા ન હોય તો ફોન કરીને દુકાનદારને જાણ કરી દે છે. આ રીતે આ દુકાન અહીં વર્ષોથી ચાલે છે. જો કે તેમ છતાં આજ સુધી ક્યારેય દુકાનમાંથી ખપત થયેલી વસ્તુ સામે ગલ્લામાંથી પૈસા ઓછા નીકળ્યા હોય તેવું બન્યું નથી. એટલું જ નહીં નવાઈની વાત એ છે કે, ચોવીસ કલાક ખૂલી રહેતી આ દુકાનમાં ક્યારેય ચોરીનો બનાવ પણ બન્યો નથી.
ઈમાનદારીની મશાલ
વર્ષો અગાઉ આ દુકાન ચાલુ કરી હતી ત્યારથી આવી જ રીતે આ દુકાન ચાલે છે. એટલું જ નહી આ દુકાનના સંચાલક મુસ્લીમ છે અને મોટાભાગના ગ્રાહકો હિંદુ છે. તેમની વચ્ચે માત્ર વેપારી અને ગ્રાહક તરીકેના સંબંધો નથી. ગામના કોઈપણ નાગરિકને આર્થિક મુશ્કેલી હોય તો પણ દુકાનદાર સાહિદભાઈ ગામ લોકોને ખૂબ જ મદદરૂપ બને છે. એક નાનકડા એવા ગામમાં પ્રજવલિત આ કોમી એખલાસ અને ઈમાનદારીની મશાલ કાયમ રોશન રહે તેવી વીટીવી તરફથી નવા વર્ષે શુભેચ્છા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ