બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / Check out what Justin Trudeau's government said about the threats Hindus are getting

નિવેદન / કેનેડા પર ભારતના દબાણની અસર દેખાઈ: હિન્દુઓને મળી રહેલી ધમકીઓ મામલે જસ્ટિન ટ્રુડોની સરકારે જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 11:09 AM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada–India relations News: ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુએ હિંદુઓને કેનેડા છોડીને ભારત જવા કહ્યા બાદ હવે કેનેડિયન સરકાર બોલી હિન્દુઓના હિતમાં, કહ્યું દેશમાં નફરત માટે કોઈ સ્થાન નથી

  • ભારત-કેનેડા વિવાદ વચ્ચે હવે મોટા સમાચાર
  • આખરે હિન્દુના હિતમાં બોલી કેનેડા સરકાર 
  • દેશમાં નફરત માટે કોઈ સ્થાન નથી: કેનેડા 

Canada–India relations : ભારત-કેનેડા વિવાદ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બે દિવસ પહેલા ખાલિસ્તાની સમર્થક ગુરપતવંત સિંહ પન્નુએ હિંદુઓને કેનેડા છોડીને ભારત જવા કહ્યું હતું. જે બાદમાં હિંદુ સંગઠનોએ સરકારને પત્ર લખીને સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત એક હિંદુ સાંસદ ચંદ્ર આર્યએ પણ કહ્યું કે, આ રીતે વાત કરવી એ કેનેડાની સંસ્કૃતિનું અપમાન છે અને સરકારે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

કેનેડિયન સરકારે શું કહ્યું ? 
સમગ્ર મામલે હવે કેનેડીયન સરકારનું નિવેદન સામે આવ્યું છે. કેનેડા સરકારે કહ્યું કે, દેશમાં નફરત માટે કોઈ સ્થાન નથી. જે વીડિયોમાં હિંદુઓને કેનેડા છોડવાનું કહેવામાં આવ્યું છે તે કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય નહીં. આ અમારી મૂળભૂત ભાવનાઓ વિરુદ્ધ છે. અમે માત્ર બહુ-ધાર્મિક સંસ્કૃતિમાં જ માનતા નથી પરંતુ પાયાના સ્તરે તેનું પાલન પણ કરીએ છીએ. કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક ક્રિયા, નફરત, ડર અથવા ધાકધમકી માટે કેનેડામાં કોઈ સ્થાન નથી.

આ સાથે કેનેડાની સરકારે કર્યું કે, અમે કેનેડાને વિભાજીત કરતા કોઈપણ અભિપ્રાયને સમર્થન આપતા નથી. અમે દરેક કેનેડિયન નાગરિકને એકબીજાનું સન્માન કરવા અને કાયદાનું પાલન કરવાની અપીલ કરીએ છીએ, દરેક કેનેડિયન નાગરિક સંપૂર્ણપણે સુરક્ષિત છે.

શું છે સમગ્ર મામલો ? 
વાત જાણે એમ છે કે, આ વર્ષે જૂન મહિનામાં સરે શહેરના ગુરુદ્વારા પાસે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની બે બાઇક સવારોએ હત્યા કરી હતી. આ હત્યાકાંડના ત્રણ મહિના પછી જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં કહ્યું હતું કે, તે હત્યાકાંડમાં ભારતીય એજન્સીઓની સંડોવણી વિશેની માહિતી પ્રકાશમાં આવી રહી છે. એક રીતે તેમણે ભારત સરકારને ભીંસમાં મૂકી દીધી છે. એટલું જ નહીં કેનેડાની સંસદમાં એક ભારતીય રાજદ્વારીના નિવેદન બાદ તેને કેનેડા છોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. કેનેડા સરકારના આ આદેશ બાદ ભારતીય વિદેશ મંત્રાલયે હરદીપ સિંહ નિજ્જર કેસમાં ભારતીય એજન્સીની સંડોવણીને પાયાવિહોણી ગણાવી છે. આટલું જ નહીં કેનેડાના રાજદૂતને બોલાવીને રાજદ્વારીને ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ