બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Pooja Khunti
Last Updated: 10:36 AM, 30 January 2024
અમાસ તિથિ સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષના દરેક મહિનામાં અમાસ તિથિ પર લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે, દાન કરે છે અને સારા કાર્યો કરે છે. હિન્દુ ધર્મમાં મૌની અમાસનું વિશેષ મહત્વ છે. તેને માઘ અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેલેન્ડર મુજબ આ વર્ષે મૌની અમાસ 9 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.
મૌન વ્રત
લોકો આ દિવસે મૌન પાળે છે. જેને મૌન વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે મૌની શબ્દનો શાબ્દિક અર્થ મૌન છે. હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે વ્યક્તિએ કોઈની સાથે વાત કર્યા વિના પોતાને સમજવા અને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
મૌની અમાસનું ધાર્મિક મહત્વ
સનાતન ધર્મમાં અમાસ તિથિનું ઘણું મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આ વર્ષે મૌની અમાસનો તહેવાર 9 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી પિતૃ દોષથી રાહત મળે છે.
વાંચવા જેવું: કુંભ રાશિમાં સૂર્ય અને શનિ થશે ભેગા: કર્ક અને કુંભ સહિત આ રાશિ માટે સમય ભારે
મૌની અમાસના દિવસે કરો આ ઉપાયો
તમે અમાસના દિવસે દાન કરો છો તો તેનું વિશેષ મહત્વ છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ અને તેઓને દાન આપવું જોઈએ. આમ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે વ્યક્તિએ તેલ, ધાબળો, દૂધ, ખાંડ, અનાજ અને પૈસાનું દાન કરવું જોઈએ. આ સિવાય મૌની અમાસના દિવસે પશુ-પક્ષીઓને ભોજન કરાવવું જોઈએ. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
આ મંત્રનો 108 વાર જાપ કરો
મૌની અમાસના દિવસે ભગવાન સૂર્યને અર્ઘ્ય ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે આમ કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે. મૌની અમાસના દિવસે, "ઓમ આદ્ય-ભૂતાય વિદ્મહે સર્વ-સેવયા ધીમહિ, શિવ-શક્તિ-સ્વરૂપેણ પિતૃ-દેવ પ્રચોદયાત્" મંત્રનો 108 વાર જાપ કરો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન રહે છે. તેમજ જાતકનાં ઘરમાંથી પિતૃ દોષ દૂર થઈ જાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir