બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ચૂંટણી 2019 / bjp-has-cut-ticket-10-heroes-of-ram-temple-movement

ચૂંટણી / રામ મંદિર આંદોલનના આ 10 હીરોને ભાજપે કર્યા સાઇડલાઇન, કેમ ટિકિટ કપાઇ?

vtvAdmin

Last Updated: 01:09 PM, 4 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે આ વખતે પાર્ટીના સ્થાપક સભ્ય અને રામ મંદિર આંદોલનના હીરો રહેલા લાલકૃષ્ણ અડવાણીને ટિકિટ આપી નથી. અડવાણી ગાંધીનગર લોકસભાથી સતત જીતતા આવતા હતા. આ વખતે તેમની ટિકિટ કાપીને અમિત શાહને ટિકિટ આપવમાં આવી હતી.

લોકસભા ચૂંટણી 2019ની તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ આ વખતી ચૂંટણીમાં ભાજપે પોતાના દિગ્ગજ નેતાઓને સાઈડલાઈન કર્યા છે. ખાસ કરીને રામ મંદિરનું આંદોલન કરનાર 10 નેતાઓના નામ કાપવામાં આવ્યા છે. હવે ભાજપ રાષ્ટ્રવાદના એજન્ડા સાથે આગળ વધી રહ્યો છે. તેમને તેને ધ્યાને રાખીને હવે અમૂક મોટા નેતાઓની બાદબાકી કરી છે.


રામમંદિર આંદોલનના સહારે ભાજપે દેશમાં પોતાની સરકાર પહેલીવાર બનાવી હતી. 1984માં માત્ર બે લોકસભાની બેઠકો ભાજપને મળી હતી. બાદમાં આ આંદોલન થયું હતુ અને 1989માં આ જ ભાજપની 2થી સીધી 85 બેઠકો મળી હતી. જો કે આજ રામ મંદિરનો મામલો 2014માં ભાજપને સંપૂર્ણ બહુમતિ અપાવી ગયો છે. પરંતુ મહત્વની વાત એ છે કે, આ આંદોલનનને ઉભુ કરીને જેલમાં જનારા અને ભાજપના દિગ્ગજ નેતાઓની 2019માં બાદબાકી કરી દેવાઈ છે. આ આંદોલનમાં મહત્વની ભૂમિકા અદા કરનાર સ્વ. અટલ બિહારી વાજપેયી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર, કલ્યાણસિંહ, કલરાજ મિશ્ર, સાધ્વી ઋતુમ્ભરા, સ્વામી ચિન્મયાનંદ અને રામ વિલાસ વેદાંતી હતા. આ નેતાઓમાં અટલજીનું નિધન થયું છે અને અન્ય જે નેતાઓ છે તેમને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી.


ભાજપે આ વખતે પાર્ટીના સ્થાપક સભ્ય અને રામ મંદિર આંદોલનના હીરો રહેલા લાલકૃષ્ણ અડવાણીને ટિકિટ આપી નથી. અડવાણી ગાંધીનગર લોકસભાથી સતત જીતતા આવતા હતા. આ વખતે તેમની ટિકિટ કાપીને અમિત શાહને ટિકિટ આપવમાં આવી હતી. અડવાણીએ જ સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રા કાઢી હતી. તેનો ભાજપને ભરપૂર લાભ થયો હતો. આ ઉપરાંત મુરલી મનોહર જોશી પણ આ આંદોલનના મહત્વનના નેતા હતા. તેમની ટિકિટ પણ કાપવામાં આવી છે. અન્ય નેતાઓમાં અમૂક નેતાઓ જાતે ખસી ગયા છે તો અમૂક નેતાઓને પાર્ટીએ સાઈડલાઈન કર્યા છે. 

આ તમામ 10 નેતાઓ ભાજપને દેશભરમાં ઉભી કરવામાં મહત્વના હતા અને તેમને દેશમાં ભાજપની પહેલી સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા કરી હતી. હવે આ 10માંથી 9 નેતાઓ આ વખતે 2019 લોકસભામાં જોવા મળશે નહીં. સૂત્રોના મતે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ આ નેતાઓને વિશ્વાસમાં લીધા વગર ટિકિટો કાપી છે. જો કે હાલ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ