બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Vaidehi
Last Updated: 04:52 PM, 12 December 2023
ભજન લાલ શર્મા એક ભારતીય રાજકરણી છે જેમને હાલમાં રાજસ્થાનનાં મુખ્યમંત્રી તરીકેની મોટી જવાબદારી ભાજપ દ્વારા સોંપવામાં આવી છે. ભાજપ વિધાયક દળની બેઠકમાં ભજનલાલ શર્માનાં નામ પર સર્વસમ્મતિથી મોહર લગાડવામાં આવી છે. તેઓ રાજસ્થાન વિધાનસભાનાં સદસ્યનાં રૂપમાં સાંગાનેર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે.
ભજનલાલ શર્માના હાથમાં અપાયું રાજસ્થાનનું રાજ, વસુંધરા રાજેની સામે કર્યું નમન
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 12, 2023
VIDEO SOURCE : ANI#rajasthancm #rajasthanCMNews #BhajanlalSharma #jaipur #vtvgujarati pic.twitter.com/ZgiF9s2AS0
કોણ છે ભજન લાલ શર્મા?
ભજન લાલ શર્મા ચાર વખત ભારતીય જનતા પાર્ટીનાં મહાસચિવ બન્યાં છે. 2023ની આ ચૂંટણીમાં સાંગાનેર વિધાનસભા ક્ષેત્રની ચૂંટણીમાં ભજનલાલે કોંગ્રેસનાં ઉમેદવાર પુષ્પેંદ્ર ભારદ્વાજને 48081 વોટનાં અંતરથી હાર આપી હતી. ભાજપે તેમને પહેલીવાર જયપુરની સાંગાનેર જેવી સુરક્ષિત સીટ પરથી ચૂંટણી લડાવી હતી. વર્તમાન ધારાસભ્ય અશોક લાહોટીની ટીકિટ કાપીને ભજનલાલ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યું હતું. આ જીત બાદ તેઓ પહેલી વખત ધારાસભ્ય બન્યાં છે. અને હવે તેમને રાજસ્થાનની કમાન સોંપી દેવામાં આવી છે.
4 વખત ભાજપ પ્રદેશ મહામંત્રી
56 વર્ષીય ભજનલાલ શર્માની શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો તેમણે માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમના અનેક બિઝનેસ છે. સંગઠનમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં લેતાં તેમને રાજસ્થાનનાં મુખ્યમંત્રી તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ 4 વખત ભાજપ પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યાં છે. RSS અને ABVP સાથે પણ તેઓ લાંબા સમયથી સંકળાયેલા છે.
ભજનલાલ શર્માની નેટવર્થ
તેમની નેટવર્થની વાત કરીએ તો તેઓ પણ કરોડપતિ છે અને તેમની પાસે કુલ 1.40 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે 35 લાખ રૂપિયાનું દેણું છે. વિધાનસભા ચૂંટણીમાં આપવામાં આવેલ સંપત્તિની માહિતી અનુસાર તેમની નેટવર્થમાંથી આશરે 1,15000 રૂપિયા કેશમાં છે જ્યારે વિવિધ બેંકોનાં એકાઉન્ટમાં તેમનાં 11 લાખ રૂપિયા ડિપોઝિટ છે.
બ્રાહ્મણ સમાજથી આવે છે ભજન લાલ શર્મા
ભજન લાલ શર્મા ભરતપુરનાં રહેવાસી છે. બાહરી હોવા છતાં પણ તેમણે સાંગાનેરમાં મોટી જીત હાસિલ કરી હતી. ભજન લાલ શર્મા સંઘ અને સંગઠન બંનેના ઘણાં નજીક હતાં. માહિતી અનુસાર વસુંધરા રાજેએ તેમના નામનો પ્રસ્તાવ આપ્યો હતો. ભજન લાલ શર્મા બ્રાહ્મણ સમાજથી આવે છે. રાજસ્થાનમાં પણ આશરે 7% આબાદી બ્રાહ્મણ છે.
ડેપ્યુટી CM અને સ્પીકર
દીયા કુમારી અને પ્રેમ ચંદ્ર બેરવાને રાજસ્થાનનાં ઉપમુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે વાસુદેવ દેવનાની વિધાનસભાનાં સ્પીકર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ