બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Arohi
Last Updated: 07:15 PM, 1 January 2022
કોરોના મહામારી વખતે સરકારથી લઈને ડોક્ટરો સુધી દરેક ઈમ્યુનિટી પાવર વધારવા પર જોર આપે છે. ડોક્ટરોનું કહેવું છે કે જે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત હશે. તે આ વાયરસ સામે સર્વાઈવ કરી શકશે. ફણગાવેલા મગનું નિયમિત સેવન કરવાથી તમારી ઈમ્યુનિટીને બૂસ્ટ કરી શકાય છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર ફણગાવેલા મગમાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, વિટામીન સી, વિટામિન ઈ જેવા તત્વો ભરપુર માત્રામાં હોય છે. એટલું જ નહીં. તેમાં ફેટની માત્રા પણ ભરપુર હોય છે.
મજબૂત થાય છે ઈમ્યુનિટી
જો તમે પણ દરરોજ સવારે ઉઠીને ફ્રેશ થયા બાદ ખાલી પેટે એક મુઠ્ઠી ફળગાવેલા મગ ખાઓ છો તો તમારા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ જ મજબૂત થઈ શકે છે. તમે ઈચ્છો તો સલાડ અથવા ચાટના રૂપમાં પણ ફણગાવેલા મગને ખાઈ શકો છો. આવો અમે તમને તેના ફાયદાઓ વિશે જણાવીએ.
વજન ઘટાડવામાં રામબાણ
જો તમે વધતા વજનથી પરેશાન છો તો ફણગાવેલા મગ તમારા માટે કોઈ રામબાણથી કમ નથી. હકીકતે ફણગાવેલા મગમાં ફેટીની માત્રા ખૂબ જ ઓછી હોય છે. જે વજન ઓછુ કરવામાં મદદ કરે છે. એવામાં રોજ ખાલી પેટે ફણગાવેલા મગનું સેવન કરવાથી વજનને સરળતાથી ઓછુ કરી શકાય છે.
પાચનની સમસ્યાઓને કરે છે દુરૂસ્ત
લાઈફસ્ટાઈલ અને ભોજનમાં ગડબડીના કારણે દુનિયામાં લાખો લોકો પાચન સંબંધિત મુશ્કેલીઓથી પરેશાન છે. એવામાં રોજ ફણગાવેલા મગનું સેવન કરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. મેડિકલ એક્સપર્ટ અનુસાર ફણગાવેલા મગમાં ફાઈબલની સારી માત્રા હોય છે. જે પાચન અને પેટને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
રોગ પ્રતિકારક ક્ષમતા થાય છે મજબૂત
કોરોના સહિત કોઈ પણ બીમારીથી બચાવ માણસની રોગ પ્રતિકારક ક્ષમતા કરે છે. આ ક્ષમતાને મજબૂત કરવામાં ફણગાવેલા મગ પણ સારો વિકલ્પ છે. તેમાં મળતા પોષક તત્વ ઈમ્યુનિટીને મજબૂત કરવામાં મદદ કરે છે. તેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ