બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / bageshwar dham sarkar dhirendra shastri divya darbar in vatva ahmedabad today eveing

આયોજન / અમદાવાદમાં બાગેશ્વર સરકારના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ, આજે સાંજે વટવામાં ભરાશે બાબાનો દિવ્ય દરબાર

Malay

Last Updated: 10:35 AM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhirendra Shastri News: બાગેશ્વર સરકારના ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આજે વટવાના શ્રીરામ મેદાનમાં સાંજે સાંજે 5:00 થી 7:00 કલાકે બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે.

 

  • અમદાવાદમાં આજે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર
  • વટવાના શ્રીરામ મેદાનમાં દિવ્ય દરબારનું આયોજન
  • દિવ્ય દરબારને લઈને સ્થળ પર તડામાર તૈયારીઓ

અમદાવાદમાં આજે બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. અમદાવાદના વટવા ખાતે આવેલા શ્રી રામ મેદાનમાં બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામ મેદાનમાં આજે સાંજે 5:00થી 7:00 વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય ભરાશે. બાબાના દરબારને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, અમદાવાદના ઓગણજ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો 29 મેના રોજ દરબાર યોજવાનો હતો, જે વરસાદના કારણે સમગ્ર કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે.

આઠ વર્ષ સુધી મેં ભીખ માંગી, આજે ધામમાં 70 હજાર લોકો મફતમાં જમે છે: કહાની  બતાવતા રડી પડ્યા હતા ધીરેન્દ્ર શાસ્ત્રી | bageshwar dham dhirendra krishna  shastri started ...

ગઈકાલે કેન્સલ થયો હતો કાર્યક્રમ
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા 4-5 દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, સુરત સહિતના જુદા જુદા સ્થળોએ દરબાર યોજી રહ્યા છે. ત્યારે ગઈકાલે વરસાદ વેરી બનતા અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રોગ્રામ કેન્સલ કરવાની નોબત આવી હતી. અમદાવાદના ઓગણજ ખાતે 29 અને 30 મેના રોજ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવાનો હતો પરંતુ કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાઈ જતા 29 મેનો કાર્યક્રમ રદ્દ કરાયો હતો.

વરસાદના કારણે કાર્યક્રમ સ્થળે ભરાયું હતું પાણી
અમદાવાદમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના સ્થળને લઈને આયોજકો અસમંજસમાં હતા. બાદમાં આયોજકોએ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ઓગણજ પાસે યોજાવાનો આયોજન કર્યું હતું. પ્રમુખ સ્વામી મહોત્સવ જે સ્થળે યોજાયો હતો તે જ સ્થળે ધીરેન્દ્ર શાસ્ત્રીને દિવ્ય દરબાર માટે જગ્યા ફાળવવામાં આવી હતી. જે બાદ ભારે વરસાદ વિલન બનતા કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાઈ જતાં ઓગણજ ખાતે કાર્યક્રમ રદ કરાયો હતો. જે બાદ હવે કાર્યક્રમનું સ્થળ બદલીને વટવા રાખવામાં આવ્યું છે. 

શું થયું હતું કે જ્યારે ખુદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની બાગેશ્વર ધામમાં લાગી  હતી અરજી, VIDEOમાં કર્યો ખુલાસો | Bageshwar Dham Watch What happened when  Pandit Dhirendra ...

રાજકોટમાં પણ ભરાશે દિવ્ય દરબાર
રાજકોટ ખાતે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ