બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Bad breath is not going away even after brushing follow these simple tips the bad smell will disappear soon
Priyakant
Last Updated: 05:17 PM, 15 February 2024
શ્વાસની દુર્ગંધ માત્ર તમારા સ્વાસ્થ્ય માટે જ હાનિકારક નથી પરંતુ લોકોમાં શરમનું કારણ પણ છે. શ્વાસમાં દુર્ગંધ આવવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે પેઢાના રોગ, પ્લેક અને ટર્ટાર, જીભ પર દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયા, અમુક ખોરાક, આલ્કોહોલિક પીણા અને તમાકુનું સેવન. મોંમાં દુર્ગંધ સલ્ફર અને કીટોન્સ જેવા અણુઓ, ખાવામાં આવેલ ખોરાક અને કેટલીક દવાઓના કારણે થાય છે. આખી રાત મોંમાં રહેલા ખોરાકના કણો બેક્ટેરિયામાં ફેરવાય છે અને શ્વાસમાં દુર્ગંધ પેદા કરે છે.
ઘણા લોકોની હાજરીમાં અને મિટિંગમાં તમારા શ્વાસને તાજો રાખવો જરૂરી છે. ખરાબ શ્વાસ વાતચીતને અસર કરે છે. શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે, લોકો ઘણીવાર દિવસમાં બે વાર બ્રશ કરે છે, તેમની જીભ સાફ કરે છે, માઉથવોશનો ઉપયોગ કરે છે, તેમ છતાં તેમને શ્વાસની દુર્ગંધથી છુટકારો મળતો નથી.
એવા લોકો જેમને અન્ય લોકો સાથે હળવા મળવાનું વધારે હોય છે તેમને મોની દુર્ગંધ શરમજનક સ્થિતિમાં મુકી દે છે.. જો તમને વારંવાર શ્વાસની દુર્ગંધથી શરમ આવે છે, તો તેને દૂર કરવા માટે કેટલીક ખાસ ટિપ્સ અપનાવો. કેટલાક ઘરગથ્થુ ઉપાયો છે જેના ઉપયોગથી તમે શ્વાસની દુર્ગંધથી તો છુટકારો મેળવી શકો છો અને તમારા મોંને તાજગીસભર બનાવી શકો છો.
દહીંથી શ્વાસની દુર્ગંધ દૂર કરો
દહીંનું સેવન મોંમાં હાઈડ્રોજન સલ્ફાઈડનું સ્તર ઘટાડવા માટે જાણીતું છે. દહીં એ વિટામિન ડીથી ભરપૂર કુદરતી માઉથ ફ્રેશનર છે. શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે દહીંનું સેવન કરો.
ફળો અને શાકભાજીનું સેવન કરો
શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે, ઉચ્ચ ફાઇબરવાળા કેટલાક શાકભાજી અને ફળોનું સેવન કરો. બ્લેકબેરી અને લીંબુ જેવા ખાટાં ફળોનું સેવન કરવાથી શ્વાસની દુર્ગંધ સામે લડવામાં મદદ મળશે.
શરીરને હાઇડ્રેટેડ રાખો
શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે, વધુ પાણી પીવો. વધુ પાણી પીવાથી શ્વાસમાં દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયા અને મોઢામાં ફસાયેલા ખોરાકના કણોને દૂર કરી શકાય છે. દિવસભર પૂરતું પાણી પીવાથી મોં સુકાતું નથી અને શ્વાસની દુર્ગંધથી છૂટકારો મળે છે.
આ ખોરાકનું સેવન કરો
કાકડી, ગાજર, કેળા, લીલી ચા, આદુ, હળદર, પિઅર, સફરજન અને સેલરી જેવા ખોરાક લાળ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. આ ખોરાકનું સેવન કરો અને શ્વાસની દુર્ગંધ દૂર થઈ જશે.
આ પણ વાંચોઃ શું તમે ભૂલથી જમી લીધું છે એક્સપાયરી ફૂડ? તો હવે! સેફ્ટી માટે રાખજો આ ખાસ ખ્યાલ
ખાધા પછી કોગળા કરવાની ટેવ પાડો
જો તમે શ્વાસની દુર્ગંધથી પરેશાન છો, તો ખાધા પછી કોગળા કરી લો. ગાર્ગલિંગ દ્વારા શ્વાસની દુર્ગંધ દૂર કરી શકાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime