બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / મોડાસામાં શ્રી ઉમિયા માતાજીનું ભવ્ય તીર્થસ્થાન, ઊંઝા ન જઇ શકતા ભાવિકો અહીં દર્શન કરી થાય છે ધન્ય

દેવ દર્શન / મોડાસામાં શ્રી ઉમિયા માતાજીનું ભવ્ય તીર્થસ્થાન, ઊંઝા ન જઇ શકતા ભાવિકો અહીં દર્શન કરી થાય છે ધન્ય

Last Updated: 07:26 AM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: અરવલ્લી જીલ્લાના મોડાસાના મેઘરજ રોડ પર શ્રી ઉમિયા માતાજીનુ ભવ્ય તીર્થસ્થાન આવેલુ છે. મોડાસાનું ઉમિયા મંદિર મીની ઊંઝા ધામ તરીકે પણ ઓળખાય છે.

શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન મળે છે" આવું વાક્ય કોઈ કવિએ એટલાં માટે લખવાનું વિચાર્યું હશે કે જ્યારે મનુષ્ય પોતાની તકલીફો અને દુઃખથી ઘેરાઈ જાય છે ત્યારે તે પોતાની શ્રદ્ધાના દ્વાર ખખડાવે છે. અને પોતાના ઈશ્વર કે માતાજી પાસે જઇને પૂજા અર્ચના કરે છે.આવી જ અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓની ઈચ્છા પૂર્ણ કરતાં માતાજી એટલે મોડાસામાં બિરાજમાન માં ઉમિયા.

D 1

શ્રી ઉમિયા માતાજીનુ ભવ્ય તીર્થસ્થાન

આપણા દેશમાં અનેક મંદિરો આવેલા છે. સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હોય તેવા અને ભક્તોની આસ્થા સાથે મોટું મંદિર નિર્માણ પામે તેવા. મંદિરમાં બેઠેલાં ઈશ્વર ઉપર લોકોને કેટલી શ્રદ્ધા છે કે પોતાનાં ધારેલા દરેક કામ ગમે તેવા સંજોગોમાં પૂર્ણ થઈ જાય છે. અરવલ્લી જીલ્લાના મોડાસાના મેઘરજ રોડ પર શ્રી ઉમિયા માતાજીનુ ભવ્ય તીર્થસ્થાન આવેલુ છે. મોડાસાનું ઉમિયા મંદિર મીની ઊંઝા ધામ તરીકે પણ ઓળખાય છે. મુખ્યમાર્ગ પર જ આ મંદિર આવેલુ હોવાથી ઘણા દર્શનાર્થીઓ મંદિર પાસેથી પસાર થાય ત્યારે અચૂક માતાજીના દર્શન કરીને જ આગળ જાય છે.

D 2

દર્શનાર્થીઓની માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે

ઉમિયા મંદિર પરિસરમાં ભવ્ય શેડ બનાવવામાં આવ્યો છે. તેમજ મંદીર પરિસરમાં ભવ્ય ભોજનાલય, કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે. જેની સેવાઓ માત્ર ટોકન ભાવે આપવામા આવે છે. માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે દૂરદૂરથી ઘણા ભાવિકો મોટા સામાજીક કામ અને સેવા કરવાની શરૂઆત પહેલા માતાજીના આશીર્વાદ લેવા આવે છે અને માતાજીને પોતાના કામ સુંદર રીતે સફળ થાય તેવી પ્રાર્થના કરે છે. પૂનમે તેમજ દર રવિવારે મોટી સંખ્યામાં ભકતો,યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લે છે. વર્ષોથી નિયમિત દર્શને આવતા દર્શનાર્થીઓની માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે અને તેમની મનોકામના માતાજી પૂર્ણ પણ કરે છે. માતાજીના આશીર્વાદથી ઘરે પારણુ બંધાય એટલે તે બાળકને માતાજીના દર્શન કરાવવા ભાવિકો મંદિરે આવે છે. મોડાસામાં આવેલુ ઉમિયા ધામ ભક્તો માટે આસ્થાનુ કેન્દ્ર છે.ઊંઝાના ઉમિયાધામ જેટલી પ્રસિદ્ધી પામેલા આ મંદિરે આવી માતાજીના ચરણોમાં ભાવિકો આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા તો અનુભવે છે જ સાથે સાથે માતાજીની ભક્તિમાં લીન થઈ જાય છે

D 3

રવિવારે જામે છે ભીડ

દર રવિવારે મોડાસાના ઉમિયાધામમાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડે છે.શ્રદ્ધાળુઓનો પ્રવાહ વહેલી સવારથી મંદિરમાં બિરાજમાન આદ્યશક્તિની આરાધના માટે વહેતો જોવા મળે છે. જે ભક્તો ઊંઝા ઉમિયાધામ પગપાળા જઇ શકતા નથી તેવા ભક્તો મીની ઊંઝા તરીકે જાણીતા મોડાસાના ઉમિયાધામમાં બિરાજમાન માં ઉમિયા ના દર્શન કરી ધન્ય બને છે. વાર તહેવારે ઉમિયા માતાનો વિશેષ શણગાર કરવામાં આવે છે. સવારે 5 વાગે મહાઆરતી કરવામાં આવે છે આરતીનો લ્હાવો લેવા માટે ભાવિકો મોડી રાતથી મંદિરે આવી પહોચે છે. અને દિવસભર શ્રદ્ધાળુઓના પ્રવાહથી વાતાવરણ ભક્તિમય બની જાય છે.

D 5

વાંચવા જેવું: વરુથિની એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી આર્થિક તંગી થશે દૂર, જીવનમાં મળશે સફળતા

અખંડ જ્યોત પગપાળા લાવવામાં આવી છે

મોડાસાના મેઘરજ રોડ પર આવેલુ મંદિર ભક્તો માટે આસ્થાનું પ્રતિક બન્યું છે અને આ મંદિર મીની ઊંઝા તરીકે ઓળખાય છે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી દર્શનનો લાભ લે છે જેથી અરવલ્લીનું આ મંદિર અનેક શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે.અને મોટી સંખ્યામાં પરિવાર સાથે ભક્તો અહી શીશ નમાવે છે. અરવલ્લી મોડાસામાં મીની ઉંઝા તરીકે આ જગ્યાએ નામના મેળવી છે જેથી જ ઊંઝાથી અખંડ જ્યોત અહીં લાવવામાં આવી છે અને ત્યાર બાદ મદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી આ વિસ્તારના હજારો લોકોની આસ્થા આ મદિર સાથે જોડાયેલી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ