બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Dinesh
Last Updated: 07:34 PM, 11 January 2023
વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં થયેલા કૌભાંડ મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. જય હરસિસિદ્ધિ નામની સસ્તા અનાજની દુકાનમાં વધુ ગેરરીતિનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તરસાલીની પંચવટી સોસાયટીમાં રહેતા ભરતકુમાર જાનીના ઘરે VTV પહોંચ્યુ હતું અનાજ કૌભાંડનો પર્દાફાર્શ થયો છે. પુરવઠા વિભાગના અધિકારીઓએ ભૌમિક જાનીના ઘરે તપાસ ન કરી હોવાનો ખુલાસો સામે આવ્યો છે.
અનાજ કૌભાંડમાં VTVની રિયાલિટી ચેકમાં વધુ એક ખુલાસો
ભરત જાનીના પુત્ર ભૌમિક જાનીના નામે બોગસ આધારકાર્ડથી બારોબાર અનાજ સગેવગે કરાયું હોવાની ઘટના સામે આવી છે. ભૌમિકના આધારકાર્ડ નંબરના છેલ્લા 4 આંકડા બદલી અનાજ સગેવગે કરાયું છે. ભૌમિકના છેલ્લા 4 આંકડા 3206 છે, જ્યારે 4293 બોગસ નંબરથી અનાજ લેવાયું છે. પરિવાર આજ સુધી ક્યારેય સસ્તા અનાજની દુકાનમાં અનાજ જ લેવા ગયું નથી અને રાજ્ય સરકારે રાશન કાર્ડધારકોના ઘરે જઈને તપાસ કરવા આદેશ આપ્યો હતો.
તપાસ અધિકારીઓ સરકારના આદેશને ઘોળીને પી ગયા?
તમને જણાવી દઈએ કે, સસ્તા અનાજની દુકાન દ્વારા આચરાતા કૌભાંડ મામલે વડોદરા પુરવઠા વિભાગના અધિકારીને તપાસ કરવા આદેશ અપાયો હતો. જિલ્લા પુરવઠા અધિકારી કોમલ પટેલે ચેતન ખમારને તપાસ સોંપી હતી. સરકારના તપાસના આદેશને વડોદરા પુરવઠા વિભાગના અધિકારી ઘોળીને પી ગયા હોય તેવું આ કૌભાંડ મામલે જણાઈ રહ્યું છે. સમગ્ર મામલે તટસ્થ તપાસ થવા પર તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે.
અધિકારીઓ કાર્ડધારકોના ઘરે ન ગયા હોવાનો ખુલાસો
VTV ન્યૂઝ દ્વારા કરવામાં આવેલી તપાસમાં તપાસ કરનાર અધિકારીઓ કાર્ડધારકોના ઘરે ન ગયા હોવાનો ઘટસ્પોટ થયો છે. જે જગ્યા પર પુરવઠાના તપાસ અધિકારી નથી પહોંચ્યા ત્યાં VTVની ટીમ પહોંચી હતી. અહીં રેશન કાર્ડ ધારકોને તપાસ અધિકારી અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાશન કાર્ડધારકે કહ્યું હતું કે, અમે ક્યારેય સસ્તા અનાજની દુકાન જોઈ નથી. અમે દુકાને નથી ગયા તો અમારૂં અનાજ કોણ લઇ ગયું? પરિવારમાં 6 સભ્યો છે તો 8 લોકોનું અનાજ કોણે વિતરણ કર્યું?. અમારા ઘરે પુરવઠા ઇન્સ્પેકટર કે તપાસ અધિકારી તપાસ કરવા આવ્યા જ નનથી. તપાસ અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ.
જાણો શું છે સમગ્ર મામલો?
વડોદરાની સસ્તા અનાજની 12 દુકાનોમાં અનાજ વિતરણમાં કૌભાંડ થયું હતું. આધારકાર્ડ આધારિત વિતરણ વ્યવસ્થામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે કૌભાંડ બહાર આવ્યું હતું. તપાસમાં એક જ કાર્ડધારકના નામે અન્ય દુકાનમાંથી પણ પુરવઠો લેવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું હતું. થમ્બ ડિવાઈસ અને લેપટોપનો અલગ અલગ દુકાનમાં ઉપયોગ થયો હતો. કૌભાંડ બહાર આવ્યા બાદ સસ્તા અનાજની 12 દુકાનોમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્ય કક્ષાએથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તો જિલ્લા પુરવઠા અધિકારીએ પુરવઠા ઈન્સ્પેક્ટર્સને તપાસનો આદેશ આપ્યો હતો અને 3 દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી હતી.
સળગતા સવાલ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir