બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 09:47 AM, 16 May 2023
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કારમી હારના કારણે ભાજપ હવે એક્શન મોડમાં આવી ગયું છે. વાત જાણે એમ છે કે, હવે ભાજપને તેની ચૂંટણી વ્યૂહરચના બદલવાની ફરજ પડી છે. એવું માનવામાં આવે છે કે, આ વર્ષના અંતમાં યોજાનારી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ચૂંટણી પ્રચાર કર્ણાટક જેવો નહીં હોય.
આ વર્ષના અંતમાં ચાર મહત્વના રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જેમાંથી માત્ર મધ્યપ્રદેશમાં જ ભાજપની સરકાર છે. રાજસ્થાનમાં સત્તા પરિવર્તનના વલણ સાથે ભાજપ છત્તીસગઢ અને તેલંગાણામાં તેમની તરફેણમાં સત્તા વિરોધી લહેરની આશા રાખી રહ્યું છે.
હવે ભાજપ આ વ્યૂહરચના અપનાવશે?
એક અહેવાલ મુજબ ભાજપના વરિષ્ઠ નેતાઓએ બિનસત્તાવાર રીતે કહ્યું છે કે, પાર્ટીએ ચારેય રાજ્યોમાં નેતૃત્વના મુદ્દાઓ અને ઉમેદવારોને અંતિમ સ્વરૂપ આપતી વખતે જાતિ સમીકરણોને ધ્યાનમાં રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે એવું માનવામાં આવે છે કે, જગદીશ શેટ્ટર અને લક્ષ્મણ સાવડીને ટિકિટ નકારવાના નિર્ણય સાથે બીએસ યેદિયુરપ્પાને ટોચના પદ પરથી હટાવવાથી લિંગાયતો કોંગ્રેસ તરફ વળ્યા. આ કર્ણાટક તરફથી પાર્ટીને એક મજબૂત સંદેશ છે.
ભાજપ નાના પક્ષો સાથે ચૂંટણી ગઠબંધન માટે પણ તૈયાર ?
રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, જો જરૂર પડશે તો ભાજપ નાના પક્ષો સાથે ચૂંટણી ગઠબંધન માટે પણ તૈયાર છે. ઘણા રાજકીય વિશ્લેષકો માને છે કે, કર્ણાટકમાં જેડીએસ નેતા એચડી કુમારસ્વામી સાથે ગઠબંધન કેટલીક સીટો પર ભાજપને મદદ મળવી એ નક્કી જ હતું. જોકે સૌથી મોટો ફેરફાર કેન્દ્રીય નેતાઓ અને રાજ્યના મુખ્ય પ્રધાનો પર વધુ પડતો નિર્ભર રહેવાને બદલે સ્થાનિક નેતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કર્ણાટકમાં સ્થાનિક નેતાઓને પ્રચાર કરવા દેવાથી કોંગ્રેસ માટે સારું કામ થયું છે.
ભાજપ માટે જૂથવાદ પણ મોટો પડકાર
મહત્વનું છે કે, ભાજપ માટે જૂથવાદ પણ મોટો પડકાર બનીને ઉભરી આવ્યો છે. જેના કારણે જગદીશ શેટ્ટર જેવા નેતાઓને ટિકિટ આપવામાં આવી ન હતી. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ માટે જૂથવાદ સૌથી મોટો પડકાર છે, કારણ કે અહીં નેતાઓ વચ્ચે કોઈ સંકલન નથી. સરળ શબ્દોમાં કહીએ તો, જૂથવાદને ખતમ કરવા માટે ભાજપે તેની વ્યૂહરચના બદલવી પડશે.
મધ્યપ્રદેશમાં શું હશે આગામી પ્લાન ?
સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મધ્ય પ્રદેશમાં પાર્ટીનો ચહેરો બની રહેશે. જોકે તેમને જ્યોતિરાદિત્ય સિંધિયા, નરેન્દ્ર સિંહ તોમર અને બીડી શર્મા જેવા અન્ય નેતાઓને પોતાની બાજુમાં લાવવા માટે કહેવામાં આવશે. સિંધિયા જે 2020માં ભાજપમાં જોડાયા હતા અને તેમના તમામ નજીકના મિત્રોને પાર્ટીમાં બહારના તરીકે જોવામાં આવે છે. આ સ્થિતિમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટિકિટોની વહેંચણી વિખવાદથી ભરેલી પ્રક્રિયા બની શકે છે.
રાજસ્થાનમાં મોટા અને સ્થાનિક ચહેરાઓને આપવામાં આવશે પ્રાધાન્ય
રાજસ્થાનમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે નબળા સંકલન છતાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને પ્રાધાન્ય આપવાની શક્યતા છે. જોકે તેની સાથે કિરોરી લાલ મીના, ગજેન્દ્ર સિંહ શેખાવત, સતીશ પુનિયા અને અન્ય જેવા વિવિધ જાતિ જૂથો સાથે જોડાયેલા રાજ્ય નેતાઓને પણ મહત્વ આપવામાં આવશે.
છત્તીસગઢમાં શું હશે રણનીતિ ?
છત્તીસગઢમાં પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ, વરિષ્ઠ નેતા બ્રિજમોહન અગ્રવાલ, અરુણ સાઓને મહત્વ આપવામાં આવશે અને તેલંગાણામાં બંદી સંજય કુમાર, ઇ રાજેન્દ્રન, જી કિશન રેડ્ડી પાર્ટીના મુખ્ય ચહેરા હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટક કોંગ્રેસની જેમ જ રાજ્યના નેતાઓને તેમના મતભેદોને બાજુ પર રાખીને પોતાને એક સંયુક્ત મોરચા તરીકે રજૂ કરવા માટે કહેવામાં આવશે.
આ સાથે જનસમુદાય ધરાવતા વરિષ્ઠ નેતાઓ ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત રહેશે. મધ્યપ્રદેશમાં સરકાર અને સંગઠન વચ્ચે વધુ સારો તાલમેલ રહેશે. પાયાના સ્તરના કાર્યકરોને મહત્વ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, તેમનો પ્રતિભાવ મુદ્દાઓ, વચનો અને વ્યૂહરચના નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime