બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
VTV / આરોગ્ય / After a heart attack the heart will now be repaired with the help of cell programming
Kishor
Last Updated: 10:44 PM, 31 March 2023
ADVERTISEMENT
દિવસેને દિવસે લોકોમાં હૃદયરોગનું જોખમ વધી રહ્યું છે. જેમાં એક વખત હૃદયરોગનો હુમલા આવ્યા બાદ હૃદયની કામગીરી પર પ્રતિકૂળ અસર થાય છે. આવી સ્થિતિ વચ્ચે વૈજ્ઞાનિકોએ ઉંદર પર સંશોધન કરી અને હાર્ટ એટેક આવ્યા બાદ તેની નુકસાનીથી કેવી રીતે બચી શકાય તે અંગેનું સંશોધન કર્યું છે. વૈજ્ઞાનિકોએ પ્રોટીનના સમૂહની ઓળખ કરી છે જેના કારણે હૃદય રોગના કોષોને થતા નુકસાનને ઘણું ઘટાડી શકાય છે. સંશોધનમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે હાર્ટ એટેક આવ્યા બાદ ઉંદરના હૃદયમાં થયેલી ઇજા કેવી સફળતાપૂર્વક રિપેર કરી શકાય છે?
ADVERTISEMENT
આ અંગે યુએસમાં સેનફોર્ડ બર્નહામ પ્રિબીસ ખાતે હાથ ધરવામાં આવેલા સંશોધનના તારણો મળ્યા છે જેમાં કોર્ડીંયોવેસ્ક્યુલર, પાર્કિંસન રોગ અને ચેતાસ્નાયુ રોગ સહિતની ઘણી બીમારી ની સારવારમા મદદ મળી શકે છે. સેલ્યુલર પ્રોગ્રામિંગ એટલે કે શરીરના કોષો પસંદ કરેલ જનીનોને ચાલુ બંધ કરવાની તાકાત ધરાવે છે. દાખલા તરીકે તેઓ કઈ રીતે દેખાય એને શું બદલાવું લાવવા તે સેલ્યુલર પ્રોગ્રામને આધારે નક્કી થાય છે.
પ્રતિકુળતાને પગલે રિપ્રોગ્રામિંગ લેબથી ક્લિનિક સુધી પહોંચતા અટકી
સંશોધનના મુખ્ય લેખક અને સાનફોર્ડ બર્નહામ પ્રીબીસના આસિસ્ટન્ટ પ્રોફેસર એલેક્ઝાન્ડર કોલાસે આ મામલે વિગત આપી કહ્યું હતું કે જ્યારે પણ કોઈ વ્યક્તિને એટેક આવે છે ત્યારે ત જરૂરી સારવાર મળતા તેના બચી જાવના ચાન્સ વધે છે ત્યારે જે વ્યક્તિ હાર્ટ એટેકથી બચ્યો છે. જેના હૃદયને મોટા પાયે નુકસાન થાય છે, એટલું જ નહીં આ ભયંકર નુકસાન હૃદય રોગના બીજા હુમલા તરફ પણ દોરી જતા હોય છે. પરંતુ સેલ્યુલર પ્રોગ્રામિંગના સિદ્ધાંતને પરીણામે કોઈપણ કોષની ગતિવિધિ અને દેખાવ નિયંત્રિત કરવાની ક્ષમતા આપે છે. આ સિદ્ધાત શરીરને ફરી ઠીક કરવામાં મોટી મદદ કરે છે. પરંતુ અમુક પ્રતિકુળતાને પગલે રિપ્રોગ્રામિંગને લેબથી ક્લિનિક સુધી પહોંચતા તે અટક્યું છે.
ઉંદરના શરીરમાં 50% સુધીનો સુધારો
ઉંદર પરના સંશોધનને પગલે કોલાસે જણાવ્યું કે સંશોધમાં ચાર પ્રકારના પ્રોટીનની ઓળખ કરવામાં આવી છે. જેને AJSJ નામ અપાયું છે. આ પ્રોટીનથી હૃદય રોગના હુમલાનો ભોગ બનેલ ઉંદરના શરીરમાં 50% સુધીનો સુધારો કરાયો હતો.સંશોધનનું મુખ્ય ફોક્સ હૃદય પર હતું પરંતુ વૈજ્ઞાનિકો દાવો કર્યો છે કે AJSZ પ્રોટીન તમામ કોષોમાં જોવા મળી શકે છે. જે પદ્ધતિથી અનેક રોગની સારવાર થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT