બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Administration of Kutch in action mode to deal with cyclone situation
Malay
Last Updated: 02:14 PM, 15 June 2023
ADVERTISEMENT
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બિપોરજોય વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી રહી છે. કુદરતી સંકટને પહોંચી વળવા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. સેનાની ત્રણેય પાંખોની મદદ લેવામાં આવી છે. બે દિવસથી આર્મી, એરફોર્સ અને નેવી દ્વારકા, જામનગર, કચ્છ જિલ્લામાં વિવિધ જગ્યાએ તૈનાત છે. બિપોરજોયના સંકટ સામે લડવા માટે તંત્ર સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેને પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. આજે રાત્રે કચ્છના જખૌ બંદર પર વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે.
ADVERTISEMENT
કચ્છના દરિયાકાંઠાના ગામો સજ્જડ બંધ
વાવાઝોડાના કારણે કચ્છના દરિયાકાંઠા વિસ્તારના ગામો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે. પશ્ચિમ કચ્છનું નખત્રાણા ગામ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. ગામના રોડ-રસ્તા દુકાનો બંધ જોવા મળી છે. લોકો પણ ઘરમાં જ રહીને વહીવટી તંત્રને સાથ અને સહકાર આપી રહ્યા છે.
નલિયામાં PGVCLની સરાહનીય કામગીરી
કચ્છ પર વાવાઝોડાનો અતિશય ભારે ખતરો મંડરાઈ રહ્યો છે. વાવાઝોડાની નલિયામાં અસર શરૂ થઈ ગઈ છે. નલિયામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નલિયામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નલિયામાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. ત્યારે દરિયાકાંઠા વિસ્તારમાં PGVCLની ટીમે સરાહનીય કામગીરી કરી છે. ચાલુ વરસાદ વચ્ચે લાઈટના તાર બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારે પવનના કારણે ધરાશાયી થયેલા વીજ પોલ ઉભા કરીને લાઈટના તાર બાંધવાનું કામ ચાલું કરાયું છે. વાવાઝોડામાં લોકોને હાલાકી ન થાય તે માટે PGVCLની કામગીરી કરી રહી છે.
માંડવીમાં પ્રિ-સાયક્લોનિક અસર શરૂ
કચ્છમાં પ્રિ-સાયક્લોનિક અસર દેખાવાની શરૂ થઈ ચૂકી છે. વહેલી સવારથી કચ્છના તમામ વિસ્તારોમાં ભારે ફૂંકાઈ રહ્યા છે. વાવાઝોડાના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થાય તેવી શક્યતા છે. માંડવીમાં પણ દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કચ્છના પિંગલેશ્વર પાસે દરિયો ગાંડોતૂર બન્યો છે. પિંગલેશ્વર પાસે દરિયોમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો ગાંડોતૂર થતા વિન્ડ મિલની દીવાલ ધરાશાયી થઈ છે. દીવાલ ધરાશાયી થતા મિલની અંદર પાણી ઘૂસ્યા છે.
હિલોળા લેતો માંડવીનો દરિયો, કચ્છના માથે આજે વાવાઝોડાનું મંડરાતું સંકટ | VTV Gujarati#vtvgujarati #breaking #CycloneBiparjoy #trending pic.twitter.com/bhejN69f9T
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 15, 2023
જખૌ અને નલિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો બંધ
કચ્છના જખૌમાં વાવાઝોડાની અતિસય ભારે અસર વર્તાઈ રહી છે. જખૌમાં વહેલી સવારથી ફૂલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનથી પોર્ટ વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે જખૌ અને નલિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરાયો છે. મીઠું પકવતા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. બિપરજોય વાવાઝોડાને લઈને ટ્રકોના પૈડા થંભી ગયા છે. મુંન્દ્રા, કંડલા પોર્ટ અને લિગ્નાઇટ ઉદ્યોગ બંધ હોવાથી ટ્રકોના પૈડા થંભ્યા છે. 16 તારીખ સુધી ટ્રકો નહીં દોડાવવાનો ટ્રક માલિકોએ નિર્ણય લીધો છે.
વધુ બે દિવસ કચ્છમાં શાળાઓ રહેશે બંધ
કચ્છમાં વાવાઝોડાની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, અગાઉ 13, 14 અને 15 જૂન સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે આજે શિક્ષણ વિભાગ દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લેતાં વધુ 2 દિવસ શાળાઓ બંધ રાખવાનું નક્કી કર્યું છે.
બિપોરજોય વાવાઝોડાને લઈને કચ્છમાં તકેદારીના ભાગ રૂપે સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તમામ શાળાઓમાં તા. ૧૬ અને ૧૭ જૂનના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
— Info Kutch GoG (@Bhujmahiti) June 15, 2023
તમામ પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૭ જૂન ૨૦૨૩ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. @InfoGujarat @CollectorKutch
વાવાઝોડાને લઈ તમામ તૈયારી પૂર્ણઃ કલેક્ટર
બિપરજોય વાવાઝોડાને લઈ કચ્છના કલેક્ટરે જણાવ્યું છે કે, વાવાઝોડું આજે સાંજે જખૌ બંદર પર લેન્ડફોલ થશે. વાવાઝોડાને લઈ તંત્રએ તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે. કચ્છમાંથી 46 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. 5 હજાર અગરિયાનું પણ સ્થળાંતર કરાયું છે. કચ્છમાં NDRFની 6 ટીમ, RPFની 3 ટીમ અને SDRFની 2 ટીમ તૈનાત કરાઈ છે. કચ્છ જિલ્લાના 7 તાલુકાના પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. 7 તાલુકાના 51 હજાર 448 પશુને સલામત સ્થળે ખસેડ્યા છે. 10 રેપિડ રિસ્પોન્સ ટીમને એક્ટિવેટ કરાઈ છે.
કચ્છ પર વાવાઝોડાનો ખતરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT