બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / 7 out of 8 earthquakes in Gujarat in last one year were recorded only in Kutch

ગુજરાત ભૂકંપ / ગુજરાતમાં છેલ્લાં એક વર્ષમાં ભૂકંપના 8માંથી 7 આંચકા તો માત્ર કચ્છમાં જ, આ કારણો છે જવાબદાર

Vishal Khamar

Last Updated: 11:46 AM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છ ભૂકંપની હોનારતને 23 વર્ષ પૂરા થયા છે. ત્યાંજ ફરી ગત રોજ ભૂકંપનો આંચકો આવતો લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 8 વખત ભૂકંપના આંચકા નોંધાવવા પામ્યા છે. જેમાં 7 આંચકા તો માત્ર કચ્છમાં જ નોંધાવા પામ્યા છે.

  • કચ્છ ભૂકંપની હોનારતને 23 વર્ષ પૂર્ણ
  • એક વર્ષમાં ગુજરાતમાં 8 ભૂકંપના આંચકા નોંધાવવા પામ્યા
  •  7 આંચકા તો માત્ર કચ્છમાં જ નોંધાવા પામ્યા 

 ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં આવેલા ભૂકંપનાં આંચકાના આંકડાની વાત કરીએ તો કચ્છમાં 33 આંચકા આવી ચૂક્યા છે. જેમાં 2019 માં 6, 2020 માં 11, 2021 માં 7, 2022 માં 1 આંચકાનો સમાવેશ થાય છે.

ત્યારે મળતી માહિતી મુજબ કચ્છ, અમરેલી, સુરત સહિતના જીલ્લાઓમાં આંચકા વધવા પાછળનું મુખ્ય કારણ ઈન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈન છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઈન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈન મુખ્ય ટ્રાયન્ગલમાં તુર્કી, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે.  જેથી ઈન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈન ડિસ્ટર્બનથી ભૂકંપ વધ્યા છે. 

નવી ફોલ્ટ લાઈનો જમીનની અંદર સક્રિય થઈ જવા પામી
ફોલ્ટ લાઈનને અનુરૂપ વિસ્તારોમાં ભૂકંપથી તિરાડો પડી છે. જેમાં તિરાડો પડતા જ નવી ફોલ્ટ લાઈનો જમીનની અંદર સક્રિય થઈ જવા પામી છે.  જેમાંથી એક મેજર ફોલ્ટ લાઈન કચ્છની અને બીજી તાપી ફોલ્ટલાઈન ખંભાત અખાત, ભરૂચ, રાજપીંપળા, ડાંગને અસર કરે છે.  જ્યારે બીજી એક ફોલ્ટ લાઈન ભાવનગર, અમરેલી સહિતનાં વિસ્તારોમાં અસર કરતી હોય છે. 

વધુ વાંચોઃ ડરના નહીં ! કચ્છમાં આવી રહેલા ભૂકંપના નાના આંચકા ખૂબ સારા, વૈજ્ઞાનિક મહેશ ઠક્કરે આપ્યું કારણ

ભૂકંપ દ્વારા જમીનમાંથી દબાણ મુક્ત કરવાની ઘટનાએ સારી બાબતઃ નિષ્ણાંતો
નિષ્ણાંતો એવું માને છે કે, ભૂકંપ દ્વારા જમીનમાંથી દબાણ મુક્ત કરવાની ઘટનાએ સારી બાબત છે. અને જો આવું ન થાય તો  પૃથ્વી પર દબાણ અને તાણ વધશે. અને તે મોટા ભૂકંપનું કારણ બની શકે છે. પરંતું જ્યારે પ્રેશર છોડવામાં આવે છે. ત્યારે મોટા ભૂકંપની શક્યતાઓ ઘટી જાય છે. ભૂકંપએ પૃથ્વીની સપાટી પર અચાનક અનુભવાતી ધ્રુજારી છે.  આ ધ્રુજારી તીવ્રતામાં બદલાઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ