બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / 6 nuclear blasts knocked India to its knees: Shahbaz Sharif launches dingo as soon as he becomes PM
Mayur
Last Updated: 08:25 PM, 11 April 2022
પાકિસ્તાનના નવા વરાયેલા પ્રધાનમંત્રી શહબાઝ શરીફે પીએમ બન્યાના થોડા કલાક બાદ ભારત વિરોધી નિવેદન આપ્યું છે. તેમણે મોટી મોટી ડીંગો હાંકી છે. શરીફે કહ્યું કે અમે 6 પરમાણુ વિસ્ફોટ કરીને ભારતને ઘૂંટણીયે પાડી દીધું હતું. જોકે તેમનું આ નિવેદન અતિ હોવાનું રાજકીય નિષ્ણાંતો જણાવી રહ્યાં છે.
કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવે પીએમ મોદી-શરીફ
તેમણે પ્રધાનમંત્રી મોદીને અપીલ કરતા કહ્યું કે આપણે સાથે મળીને કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે નવાઝ શરીફ પ્રધાનમંત્રી બન્યા હતા ત્યારે અમે પાંચ પરમાણુ વિસ્ફોટના જવાબમાં છ વિસ્ફોટ કરીને ભારતને ઘૂંટણીયે પાડી દીધું હતું. શાહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાન શરૂઆતથી જ કમનસીબ રહ્યું છે કારણ કે આપણે પાડોશી પસંદ કરી શકતા નથી. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારત સાથેના આપણા સંબંધો સારા ન રહ્યા. નવાઝ શરીફે ભારત સાથેના સંબંધો સુધર્યા હતા. નવાઝ શરીફે વિધાનસભામાં કાશ્મીર માટે અવાજ ઉઠાવ્યો હતો. ઈમરાન ખાન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જ્યારે ભારતે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કરી ત્યારે અમે કોઈ ગંભીર રાજનૈતિકતા કેમ ન કરી. તેણે ઈમરાનને સવાલ પૂછ્યો કે શું અમે કાશ્મીરીઓની પરવા કરીએ છીએ
ભારત સાથે મધૂર સંબંધો વિકસાવવા આતુર પણ પહેલા કાશ્મીર મુદ્દાનો ઉકેલ
આ પહેલાના નિવેદનમાં શહબાઝ શરીફે એવું જણાવ્યું હતું કે તેઓ ભારત સાથે સારા સંબંધો વિકસાવવા આતુર છે પરંતુ કાશ્મીર મુદ્દાનો ઉકેલ ન આવે ત્યાં સુધી આવું ન થઈ શકે.
Pakistan's new PM Shehbaz Sharif says he wants good relations with India, but it can't be achieved without resolution of Kashmir issue
— Press Trust of India (@PTI_News) April 11, 2022
અમે પાકિસ્તાનને કાઈદ-એ-આઝમનું પાકિસ્તાન બનાવીશું.નેતાઓને પાકિસ્તાનની જેલોમાં કેવી રીતે મોકલવામાં આવ્યા, અમે તે માજી પાસે જવા માંગતા નથી. અમે પાકિસ્તાનને વધુ સારું બનાવવા માંગીએ છીએ. હું કહેવા માંગુ છું કે અમે આ લોકોના ઘાને મટાડવા માંગીએ છીએ. અમે કોઈની સાથે બદલો નહીં લઈએ. અમે કોઈને જેલમાં નહીં મોકલીએ, પરંતુ કાયદો પોતાનું કામ કરશે. ન્યાયનો વિજય થશે. આપણે સૌ મળીને આ દેશને ચલાવીશું અને પાકિસ્તાનને કાઈદ-એ-આઝમનું પાકિસ્તાન બનાવીશું.
શહબાઝ શરીફ સંસદમાં ચૂંટાયા પાકિસ્તાનના પ્રધાનમંત્રી
શહબાઝ શરીફ પાકિસ્તાની સંસદમાં સર્વાનુમતે નવા પ્રધાનમંત્રી ચૂંટાયા છે. આજે થયેલા વોટિંગમાં તેમને 174 વોટ મળ્યાં હતા જ્યારે તેમના હરીફ પૂર્વ વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીને એક વોટ પણ મળ્યો નહોતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime