બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / રાજકોટ / 3 leaders of Kshatriya community arrested for burning effigy of Parshotam Rupala in Rajkot
Vishal Khamar
Last Updated: 02:15 PM, 31 March 2024
રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરશોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલ નિવેદનને લઈ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર તેઓનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગત રોજ ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ ખાતે પરશોતમ રૂપાલાનાં પૂતળાનું દહન કર્યું હતું. જે મામલે પોલીસ દ્વારા ક્ષત્રિય આગેવાનોની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા કમલ 151 મુજબ ક્ષત્રિય સમાજનાં આગેવાનોની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો.
ક્ષત્રિય સમાજે પોલીસની કામગીરીને સખ્ત શબ્દોમાં વખોડી
પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજનાં આગેવાન મહેન્દ્રસિંહ પરમાર,નરેન્દ્રસિંહ જાડેજા અને નવલસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવતા ક્ષત્રિય સમાજનાં આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા હતા. તેમજ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો વિરોધ કર્યો હતો. તેમજ ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો દ્વારા પણ પોલીસની આ કામગીરીને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી.
શનિવારે રાજકોટ ખાતે ક્ષત્રિય આગેવાનો દ્વારા પૂતળા દહન કરાયું હતું
કરણી સેનાના સોશ્યલ મીડિયા અધ્યક્ષ હિતુભા જાડેજાએ કહ્યું કે પરસોતમ રૂપાલા વિરુદ્ધ રાજકોટમાં પૂતળા દહનના કાર્યક્રમો યોજાશે. પોસ્ટરો લગાવવામાં આવશે અને ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવામાં આવશે. પરસોતમ રૂપાલાની દરેક સભામાં વિરોધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પરસોતમ રૂપાલાની સુરક્ષા વધારવી હોઈ એટલી વધારી લે. ક્ષત્રિય સમાજ પર પોલીસ દમણ કરે તો પણ અમારી તૈયારી છે બીજી તરફ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પરષોતમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.. જે અંતર્ગત રોષે ભરાયેલા ક્ષત્રિય યુવાઓેએ પરષોતમ રૂપાલાના પુતળાનું દહન કર્યુ હતું.
વધુ વાંચોઃ દ્વારકામાં એક જ પરિવારના 4 સભ્યો આગમાં હોમાયા, દાદી, પતિ-પત્ની અને સાત મહિનાની બાળકીનું મોત
રુપાલાભાઈ દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે બફાટ કર્યો તે કેટલો યોગ્યઃ પદ્મિનીબા વાળા (અધ્યક્ષ, મહિલા કરણી સેના)
આ બાબતે કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે, ગોંડલમાં જે બેઠક મળી હતી. તે રાજકીય લેવલે મળી હતી. અને અમારુ સ્ટેન્ડ એક જ રહેશે કે રુપાલાભાઈની ટિકીટ રદ્દ કરો. અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશું. કેમ કે અમને એવી આશા કહી કે જયરાજભાઈ બેઠક કરે છે તો તેઓ ક્ષત્રિય સમાજનાં દીકરા છે તો બેઠકમાં કંઈકને કંઈક અમારી ફેવરમાં આવશે. અમારી એક જ માંગ છે કે ભાજપ દ્વારા ગમે તે સમાજને ટિકીટ આપવામાં આવે. અમે ક્યાં એવું કહીએ છીએ કે ક્ષત્રિય સમાજને ટિકીટ આપો. ક્ષત્રિય સમાજની એક માંગ પુરી કરી નથી શકતા. રુપાલાભાઈ દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે બફાટ કર્યો તે કેટલો યોગ્ય છે. અમે માફી દેવી જરૂરી છે પરંતું અમે માફી નહી સજા જ આપીશું. અને સજાએ છે કે રુપાલાભાઈની ટિકીટ રદ્દ થાય.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર