બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / વિશ્વ / 2nd century Buddha statue, Sanskrit inscriptions, Egypt opens several kingdoms over India
Priyakant
Last Updated: 02:17 PM, 29 April 2023
ઇજિપ્તમાં લાલ સમુદ્ર પાસેના પ્રાચીન બંદર બેરેનિસમાં મહાત્મા બુદ્ધની પ્રતિમા મળી આવી છે. વિગતો મુજબ આ બુદ્ધની પ્રતિમા બીજી સદીની કહેવાય છે. આ મહત્વપૂર્ણ શોધ સૂચવે છે કે, રોમન સામ્રાજ્ય અને ભારત વચ્ચે વેપાર સંબંધો હતા. 71 સેમી ઉંચી પ્રતિમાની આસપાસ એક આભા છે અને તેની બાજુમાં કમળનું ફૂલ દેખાય છે.
શું કહ્યું ઇજિપ્તના પ્રાચીનકાળના મંત્રાલયે ?
ઇજિપ્તના પ્રાચીનકાળના મંત્રાલયના એક નિવેદનમાં બુધવારે કહેવામાં આવ્યું હતું કે, પોલિશ-અમેરિકન મિશનએ આ પ્રતિમા શોધી કાઢી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બેરેનિસના પ્રાચીન મંદિરમાં ખોદકામ દરમિયાન રોમન સમયગાળાની મૂર્તિ મળી આવી છે.
એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ઇજિપ્તની સુપ્રીમ કાઉન્સિલ ઓફ એન્ટિક્વિટીઝના વડા મુસ્તફા અલ-વઝીરીએ કહ્યું, આ શોધે રોમન સામ્રાજ્ય દરમિયાન ઇજિપ્ત અને ભારત વચ્ચેના વેપાર સંબંધોના અસ્તિત્વના મહત્વપૂર્ણ સંકેતો આપ્યા છે. સંશોધકો દ્વારા શોધાયેલ બુદ્ધની પ્રતિમાની જમણી બાજુ અને જમણો પગ ગાયબ છે. 71 સેમી (28 ઇંચ) ઉંચી બુદ્ધ પ્રતિમા આભાથી ઘેરાયેલી છે અને તેની બાજુમાં કમળનું ફૂલ પણ દેખાય છે.
ઇજિપ્તના મુખ્ય બંદરોમાં બેરેનિસનો થતો હતો સમાવેશ
મુસ્તફા અલ-વઝીરીએ કહ્યું કે, બેરેનિસ એ રોમન યુગના ઇજિપ્તના સૌથી મોટા બંદરોમાંનું એક હતું. આ બંદર પરથી ભારત અને વિશ્વના અન્ય દેશોમાંથી મસાલા, કિંમતી પથ્થરો, કાપડ અને હાથીદાંત ઇજિપ્તમાં આવતા હતા. માલ બંદર પર આવ્યા પછી તેને ઊંટો પર રણની આજુબાજુ નાઈલ નદીમાં લઈ જવામાં આવતો હતો. આયાતી માલ ઇજિપ્તના બીજા સૌથી મોટા શહેર એલેક્ઝાન્ડ્રિયા અને ત્યાંથી બાકીના રોમન સામ્રાજ્યમાં મોકલવામાં આવતો હતો.
મિશનની પોલિશ ટીમના ડાયરેક્ટરે શું કહ્યું ?
મિશનની પોલિશ ટીમના ડાયરેક્ટર માર્યુઝ ગ્વિઆઝદાએ જણાવ્યું હતું કે, બુદ્ધ પ્રતિમા કદાચ ઇસ્તંબુલની દક્ષિણે આવેલા વિસ્તારમાંથી ખોદવામાં આવેલા પથ્થરમાંથી બનેલી હશે અથવા સ્થાનિક રીતે બેરેનિસમાં બનાવવામાં આવી હશે અને ભારતના શ્રીમંત વેપારીઓએ તેને ઇજિપ્તના મંદિરને ભેટ આપી હશે.
સંસ્કૃતમાં લખાયેલ શિલાલેખ પણ મળ્યો
પુરાતત્વવિદોએ એ પણ ખુલાસો કર્યો કે, મંદિરના ખોદકામ દરમિયાન તેમને રોમન સમ્રાટ માર્કસ જુલિયસ ફિલિપ્સ (244 થી 249) ના યુગનો સંસ્કૃતમાં એક શિલાલેખ પણ મળ્યો હતો. મિશનમાં અમેરિકન ટીમના ડાયરેક્ટર સ્ટીવન સાઇડબોથમે કહ્યું, એવું લાગે છે કે, સંસ્કૃતમાં લખાયેલો આ શિલાલેખ એ સમયનો નથી કે જે સમયની બુદ્ધની પ્રતિમા છે. કદાચ તે ખૂબ જૂનું છે કારણ કે મંદિરમાં ખોદકામ દરમિયાન અમને વધુ શિલાલેખો પણ મળ્યા છે. આ શિલાલેખો પ્રથમ સદીના છે.
ઇજિપ્ત તેના પર્યટનને પુનર્જીવિત કરવામાં વ્યસ્ત
કોવિડ રોગચાળાએ ઇજિપ્તના પ્રવાસનને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. ઇજિપ્તની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનો હિસ્સો 10 ટકા છે. તાજેતરના વર્ષોમાં ઇજિપ્તે તેના પ્રવાસનને પુનર્જીવિત કરવા માટે ઘણા પગલાં લીધાં છે. પર્યટનને પ્રોત્સાહન આપવા માટે દેશ નિયમિતપણે પુરાતત્વીય શોધોની જાહેરાત કરી રહ્યો છે. રોગચાળા પહેલા ઇજિપ્તમાં દર વર્ષે 130 લાખ પ્રવાસીઓ હતા, પરંતુ સરકારનું લક્ષ્ય 2028 સુધીમાં તેને વધારીને 3 કરોડ સુધી કરવાનું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir