બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 186 lions killed in Gir, High Court seeks reply from Railway Department
Ajit Jadeja
Last Updated: 03:26 PM, 21 March 2024
ગીરના જંગલમાં અકાળે સિંહના મોતને લઇ હાઇકોર્ટે રેલવે વિભાગ સામે લાલઆંખ કરી છે. હાઇકોર્ટે ગીરના જંગલમાં ટ્રેનના રૂટ પર થતા સિંહના મોતને લઇ જવાબ આપવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે રેલવે વિભાગને આકરા શબ્દોમાં સિંહના મોતને લઇ રેલવે વિભાગે શું કર્યું તેનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ સાથે જ ભવિષ્યમાં રેલવે વિભાગ દ્વારા કેવા પગલાં લેવાશે તેને લઇને પણ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. મહત્વનું છે કે બૃહદ ગીરમાં છેલ્લા 2 વર્ષમાં 184 સિંહના મોત થયા હોવાનો કોર્ટ મિત્રએ ખુલાસો કર્યો છે. જેમાં 32 સિંહના અકસ્માતે મોત થયાના આંકડા સામે આવ્યા છે. જંગલમાંથી પસાર થતી રેલવે લાઇન અને ઝડપથી ચાલતી ટ્રેનને કારણે સિંહના મોત થઇ રહ્યા હોવાની અરજી કરાતાં હાઇકોર્ટે રેલવે વિભાગને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. ત્યારે સિંહના મોત અંગે રેલવે વિભાગને 26 માર્ચે જવાબ રજૂ કરવા આદેશ અપાયો છે.
સિંહોના થતા અકાળે મૃત્યુ મુદે હાઇકોર્ટની લાલ આંખ કરી છે. રેલવે વિભાગને વિગતવર જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો કડક આદેશ છે. સિંહોના અકસ્માતે થતા મોતને લઇ રેલવે વિભાગે શુ કર્યુ અને શું કરશે તે વિગતવાર રિપોર્ટ રજૂ કરવો પડશે. છેલ્લા 2 વર્ષમાં 184 માંથી 32 સિંહોના આકસ્મિક મૃત્યુ થયા હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. સિંહોના વિસ્તારમાં રેલવે લાઈન હોવાથી સિંહોના અકાળે મોત થતા હોવાની કોર્ટ મિત્રની રજૂઆત છે. ગીરના ગેરકાનૂની રીતે લાયન થતાં હોવાનો કોર્ટ મિત્રનો કોર્ટમાં દાવો હતો.
એડવોકેટ હેમાંગ શાહએ જણાવ્યુ હતુ કે, હાઇકોર્ટ દ્વારા રેલવે વિભાગનો જવાબ માગ્યો છે. રેલવેના વકીલ લેટ આવતા કોર્ટ દ્વારા તેમનો ઉધળો લેવામાં આવ્યો હતો. અને સિંહોની સુરક્ષા માટે શું પગલા લીધા તેની સ્પષ્ટતા કરવા રેલવે વિભાગને આદેશ કરાયો છે. રેલવે વિભાગ દ્વારા જંગલ એરિયામાં ટ્રેનની સ્પીડ સ્લો કરવાની હોય છે, નિર્ધારિત ગતિ પર ટ્રેન ચલાવવાની હોય છે પરંતુ ઘણા ડ્રાઇવરો દ્વારા તેનો અમલ કરવામાં આવતો નથી.જેને કારણે જંગલ વિસ્તારમાં પાટા પર સિંહો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સિંહના મોત અંગે રેલવે વિભાગને 26 માર્ચે જવાબ રજૂ કરવા આદેશ અપાયો છે.
વિશ્વમાં એશિયાટીક સિંહોનું એકમાત્ર ઘર ગીર જંગલ અને સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ફેલાયેલા અન્ય સંરક્ષિત વિસ્તારો છે. વન વિભાગના જણાવ્યા અનુસાર 2020 માં એશિયાટિક સિંહોની વસ્તી 674 હોવાનો અંદાજ છે. રેલ્વેએ એ પણ રેખાંકિત કર્યું છે કે, રેલ્વે ટ્રેકની આસપાસ સિંહોની હિલચાલ નોંધપાત્ર રીતે વધી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh