બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ
VTV / 11 dead bodies recovered from kinnaur landslide : itbp
Parth
Last Updated: 06:55 PM, 11 August 2021
11 લોકોનાં કરૂણ મોત
હિમાચલ પ્રદેશમાં લેન્ડસ્લાઇડની હોનારતમાં મૃતકોની સંખ્યા વધીને 11 પહોંચી ગઈ છે અને હજુ પણ 30 લોકો ફસાયા હોવાની આશંકા છે. સાથે સાથે 10 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે.
A total of 10 bodies have been recovered from the landslide site in Nugulsari area of Himachal Pradesh's Kinnaur. 14 people have been rescued so far: ITBP pic.twitter.com/EatSLwVVr2
— ANI (@ANI) August 11, 2021
ઘટના સામે આવતા જ રાજ્યનાં મુખ્યમંત્રીની સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી એક્શનમાં આવ્યા હતા અને તાત્કાલિક ITBPના જવાનો રેસ્ક્યૂ મિશનમાં લાગી ગયા હતા. યુદ્ધનાં ધોરણે આ રેસ્ક્યૂ મિશન અત્યારે ચાલી રહ્યું છે.
હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં આવેલ નિગુલસેરી નેશનલ હાઈવે-5 પર ચીલ જંગલ પાસે ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. જેના કારણે આખે આખા રસ્તા પડી રહ્યા છે. આ ઘટનામાં HRTCની એક બસ પણ આ ભૂસ્ખલનના ઝપેટમાં આવી ગઈ હોવાની માહિતી સામે આવી છે. સાથેજ કુલ 40 જેટલા લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે.
A landslide reported on Reckong Peo- Shimla Highway in #Kinnaur District in Himachal Pradesh today at around 12.45 Hrs. One truck, a HRTC Bus and few vehicles reported came under the rubble. Many people reported trapped. ITBP teams rushed for rescue. More details awaited. pic.twitter.com/ThLYsL2cZK
— ITBP (@ITBP_official) August 11, 2021
રેસ્કયુની કામગીરી શરૂ
પોલીસ અને તંત્ર દ્વારા રેસ્ક્યુની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને જે બસ કાટમાળ નીચે દબાઈ છે. તે બસ હરિદ્વાર રૂટની બસ હતી. માત્ર બસ નહી પરંતું ઘણા બધા વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા છે. સાથેજ બસમાં કેટલા મુસાફરો હતા તે મુદ્દે પણ હજું કોઈ માહિતી સામે નથી આવી.
અગાઉ પણ આવો અકસ્માત સર્જાયો હતો
ગત 25 જુલાઈએ પણ કિન્નોર જિલ્લામાં આવેલ બટરેસી વિસ્તારમાં સાંગલા-છિતકુલ માર્ગ પર ભૂસ્ખલનને કારણે એક વાહન કાટમાળ નીચે દબાઈ ગયું હતું. આ ઘટનામાં મુસાફરોનું કરૂણ મોત થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહન 600 મીટર નીચે બાસ્પા નદીના કિનારે બીજા રસ્તા પર જઈને પડ્યું હતું. અગાઉ જે અકસ્માત સર્જાયો હતો. તેમા છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને દિલ્હીના મુસાફરો પણ હતા. કે જેઓ દિલ્હીથી એક પ્રાઈવેટ વાહન કરી પ્રવાસે આવ્યા હતા. આ ઘટનામાં બાસ્પા નદી પર આવેલ 120 મીટર લાંબો લોખંડનો પુલ પણ ધરાશાયી થઈ ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ