બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / 10 people died in an accident on Bagodara highway, police said that the driver was driving while disguised.
Vishal Khamar
Last Updated: 05:14 PM, 11 August 2023
બગોદરા હાઇવે પર ટ્રક અને છોટાહાથી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મામલે પોલીસ તપાસ કરી રહી છે.ત્યારે એસપી અમિત વસાવાએ જણાવ્યું કે વાહનમાં 23 લોકો સવાર હતા. જે પૈકી 10 લોકોનાં મોત થયા છે..જ્યારે 4 લોકોને કોઇ પણ પ્રકારની ઇજા થઇ નથી. આ સાથે જ છોટા હાથીના ડ્રાઇવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે ચોટીલાથી પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે બગોદરા હાઇવે પર ઉભા ટ્રકમાં છોટાહાથી ઘુસી જતાં 10 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
ઘટનામાં કુલ 10 લોકોના મોત નિપજ્યાઃ અમિત વસાવા
આ અકસ્માત બાબતે એસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, ખૂબ જ દુઃખદ ઘટનાં બની છે. બગોદરા પાસે સુરેન્દ્રનગરની હદ ક્રોસ કરીને બગોદરા- રાજકોટ હાઈવે પર આ બનાવ બન્યો છે. ત્યારે આ ઘટનામાં કુલ 10 લોકોનાં મૃત્યું થયા છે. જેમાં 3 લોકોનાં ઘટનાં સ્થળે જ મૃત્યું થયા હતા. અકસ્માતમાં પાંચ મહિલા, ત્રણ બાળકો તેમજ બે પુરૂષનાં મોત થયા છે. આ તમામ લોકો કપડવંજ તેમજ બાલાસિનોર બાજુનાં ગામનાં છે.
ડ્રાયવર ઉજાગરા કરી ડ્રાઈવીંગ કરી રહ્યો હતોઃ એસપી
રાત્રે 11.30 થી 12.00 વાગ્યા વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે મારૂતી કેરી જે વાહન છે તે વાહન લોડીંગ વાહન છે. જેમાં પેસેન્જર લઈને જઈ રહ્યા હતા. અને આ જે લોકો છે તે ખેડાનાં કપડવંજ ગામનાં છે અને એકબીજાને ઓળખે છે. રાત્રે તેઓ નીકળીને ચોટીલા દર્શન માટે ગયા હતા. વહેલા સવારે તેઓ ચોટીલા પહોંચ્યા હતા. દર્શન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે તેઓને અકસ્માત નડ્યો હતો. ટ્રક સાઈડમાં જ ઉભેલ હતું. એ લોકોનું વ્હીકલ આ ટ્રક જોડે અથડાયું છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું માનવામાં આવી રહ્યું છે કે, આખી રાતનાં ઉજાગરા કરીને આ ડ્રાઈવીંગ કરી રહ્યો હતો. તો એવું બની શકે છે કે રસ્તા પર જે ટ્રક ઉભું હતું તેને અથડાયું હોઈ શકે. કુલ 13 લોકો બચી ગયા છે. એમાંથી અમુક લોકો બગોદરા તેમજ અમદાવાદ સિવિલ ખાતે સારવાર હેઠળ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ