બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / wtc final you will have to leave ipl says ravi shastri after wtc loss

WTC Final 2023 / 'WTC ફાઇનલ જેવી મેચોની તૈયારી કરવી છે તો IPL છોડવી પડશે', હાર બાદ રવિ શાસ્ત્રી ભડક્યા, ચોખ્ખું સંભળાવી દીધું

Bijal Vyas

Last Updated: 09:35 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાઈનલ મેચમાં હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે આવી મેચો માટે ઓછામાં ઓછા 20 થી 25 દિવસ તૈયારી માટે મળવા જોઈએ.

  • રોહિત શર્માએ કહ્યું કે આવી મેચો માટે ઓછામાં ઓછા 20 થી 25 દિવસ તૈયારી માટે મળવા જોઈએ
  • રવિ શાસ્ત્રીએ કહ્યુ આજના સમયમાં શક્ય નથી કે આટલા દિવસ તૈયારી માટે મળી શકે 
  • કોચ રાહુલ દ્રવિડે વ્યસ્ત શેડ્યુલ પર આપ્યુ નિવેદન 

Ravi Shastri Targeted Rohit Sharma And Team: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં ભારતીય ટીમની હારનું મુખ્ય કારણ ટીમની તૈયારીનો અભાવ જણાવવામાં આવી રહ્યું છે. ફાઈનલ મેચમાં હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે આવી મેચો માટે ઓછામાં ઓછા 20 થી 25 દિવસ તૈયારી માટે મળવા જોઈએ. ભારતીય ટીમના પૂર્વ ચીફ રવિ શાસ્ત્રીએ તેમના નિવેદનની આકરી ટીકા કરતા કહ્યું કે આ તમામ બાબતો ખેલાડીઓ પર નિર્ભર કરે છે કે તેઓએ શું પસંદ કરવાનું છે.

ગિલ તો શીખી જશે, પણ પુજારા તો 100-100 મેચ રમી ચૂક્યો છે, છતાં...: ગુજરાતી  પ્લેયર પર રવિ શાસ્ત્રીને ચડ્યો ગુસ્સો/ wtc final 2023 ravi shastri  criticize the way cheteshwar ...

WTC ફાઈનલમાં હાર બાદ સ્પોર્ટ્સ ચેનલ સાથે વાત કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે, આજના સમયમાં એવું બિલકુલ થવાનું નથી કે તમે કોઈ શ્રેણીની તૈયારીમાં 20 થી 21 દિવસનો સમય લઈ શકો. આ છેલ્લી વખત વર્ષ 2021માં જોવા મળ્યું હતું, જ્યારે ભારતે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 3 અઠવાડિયા અગાઉથી તૈયારી શરૂ કરી હતી. તેનો અમને ફાયદો પણ થયો અને અમે તે શ્રેણીમાં 2-1થી આગળ રહ્યા હતા. 

શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે આવું થઈ શકે છે કારણ કે તે સમયે IPL કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવી હતી. આ કારણે અમે નક્કી સમય પહેલા ઈંગ્લેન્ડ પહોંચી ગયા. આજના સમય પ્રમાણે જીવવાનું છે. જો આપણે આવી ફાઈનલ મેચો માટે 20 દિવસ પહેલા તૈયારી કરશું તો આઈપીએલ છોડવી પડશે. પરંતુ આ તમામ બાબતો ખેલાડીઓ પર નિર્ભર છે. આ અંગે કોણે નિર્ણય લેવાનો છે.

ભારતમાં લોકો માત્ર ટ્રોફી જીતવાની જ...: રાહુલ દ્રવિડના સમર્થનમાં રવિ  શાસ્ત્રીનું ચોંકાવનારું નિવેદન | 'People in India only want to win  trophies...: Ravi Shastri's ...

કોચ રાહુલ દ્રવિડે વ્યસ્ત શેડ્યુલ પર આપ્યુ નિવેદન 
ટીમ ઈન્ડિયાની હાર બાદ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ વ્યસ્ત કાર્યક્રમને આ હારનું મુખ્ય કારણ જણાવ્યું હતું. દ્રવિડના મતે, જો ટીમ અહીં પ્રેક્ટિસ મેચ રમવા માટે ત્રણ અઠવાડિયા પહેલા આવી હોત તો તૈયારી સારી થઈ શકી હોત. પરંતુ અમે તે કરી શક્યા નહીં. જોકે, હું આ હાર અંગે કોઈ બહાનું કે ફરિયાદ કરી રહ્યો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ