બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / WTC 2023 KL Rahul gets another chance, these 4 unlucky players OUT from Test team

WTC 2023 / ખરાબ પ્રદર્શન પછી પણ KL રાહુલને ટીમમાં મળી જગ્યા, તક મળ્યા વિના જ OUT થયા આ ચાર ખેલાડી

Megha

Last Updated: 03:51 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રહાણેની ટીમમાં વાપસી થઈ છે અને દરેક મેચમાં તેના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા કેએલ રાહુલનું નામ હજુ પણ ટીમમાં સામેલ છે તો 4 ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.

  • ટીમ ઈન્ડિયા 7 જૂનથી ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
  • 4 ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો
  • સંઘર્ષ કરી રહેલા કેએલ રાહુલનું નામ હજુ પણ ટીમમાં સામેલ છે

ICC WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે અને રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 7 જૂનથી ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. મહત્વની વાત એ છે કે અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે અને દરેક મેચમાં તેના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા કેએલ રાહુલનું નામ હજુ પણ ટીમમાં સામેલ છે. એવામાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ખૂબ સારું પ્રદર્શન કરનાર 4 ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે, ચાલો જાણીએ કોણ છે તે ખેલાડીઓ...

સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બતાવ્યો બહારનો રસ્તો 
નોંધનીય છે કે T20માં નંબર વન સૂર્યકુમાર યાદવ વનડે અને ટેસ્ટમાં રન માટે સતત સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો અને ઓસ્ટ્રેલિયા સામેની લિમિટેડ ઓવરની સીરિઝમાં સતત 3 વનડેમાં સૂર્યકુમાર યાદવ ખાતું પણ ખોલી શક્યો ન હતો. નોંધનીય છે કે તેને નાગપુર ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું પણ તે પછી તેને અન્ય મેચોમાં તક મળી ન હતી.

કુલદીપ યાદવ
કુલદીપ યાદવે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં રિએન્ટ્રી કરી હતી અને ત્યાં તેને મેચમાં 8 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. આ પછી તેને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં રાખવામાં આવ્યો હતો પણ પ્લેઈંગ ઈલેવનમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. એવામાં તે હવે ટીમનો ભાગ નથી.

ઈશાન કિશન
બાંગ્લાદેશ સામે વનડેમાં બેવડી સદી ફટકારીને અનેક રેકોર્ડ બનાવ્યા બાદ ઈશાન કિશનને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પણ તેને તક મળી ન હતી. આ રીતે તેને રમ્યા વગર જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

શ્રેયસ ઐયર 
બીજી તરફ શ્રેયસ ઐય્યરે પીઠની સર્જરી કરાવી છે. આ જ કારણસર તે IPLમાં રમી શક્યો નથી. તે WTC ફાઈનલ સુધી ફિટ થશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ