બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / સ્પોર્ટસ / Cricket / WTC 2023 KL Rahul gets another chance, these 4 unlucky players OUT from Test team
Megha
Last Updated: 03:51 PM, 25 April 2023
ICC WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે અને રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 7 જૂનથી ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. મહત્વની વાત એ છે કે અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે અને દરેક મેચમાં તેના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા કેએલ રાહુલનું નામ હજુ પણ ટીમમાં સામેલ છે. એવામાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ખૂબ સારું પ્રદર્શન કરનાર 4 ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે, ચાલો જાણીએ કોણ છે તે ખેલાડીઓ...
સૂર્યકુમાર યાદવને ટીમમાંથી બતાવ્યો બહારનો રસ્તો
નોંધનીય છે કે T20માં નંબર વન સૂર્યકુમાર યાદવ વનડે અને ટેસ્ટમાં રન માટે સતત સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો અને ઓસ્ટ્રેલિયા સામેની લિમિટેડ ઓવરની સીરિઝમાં સતત 3 વનડેમાં સૂર્યકુમાર યાદવ ખાતું પણ ખોલી શક્યો ન હતો. નોંધનીય છે કે તેને નાગપુર ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું પણ તે પછી તેને અન્ય મેચોમાં તક મળી ન હતી.
🚨 NEWS 🚨#TeamIndia squad for ICC World Test Championship 2023 Final announced.
— BCCI (@BCCI) April 25, 2023
Details 🔽 #WTC23 https://t.co/sz7F5ByfiU pic.twitter.com/KIcH530rOL
કુલદીપ યાદવ
કુલદીપ યાદવે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં રિએન્ટ્રી કરી હતી અને ત્યાં તેને મેચમાં 8 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. આ પછી તેને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં રાખવામાં આવ્યો હતો પણ પ્લેઈંગ ઈલેવનમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. એવામાં તે હવે ટીમનો ભાગ નથી.
ઈશાન કિશન
બાંગ્લાદેશ સામે વનડેમાં બેવડી સદી ફટકારીને અનેક રેકોર્ડ બનાવ્યા બાદ ઈશાન કિશનને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પણ તેને તક મળી ન હતી. આ રીતે તેને રમ્યા વગર જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
શ્રેયસ ઐયર
બીજી તરફ શ્રેયસ ઐય્યરે પીઠની સર્જરી કરાવી છે. આ જ કારણસર તે IPLમાં રમી શક્યો નથી. તે WTC ફાઈનલ સુધી ફિટ થશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh