બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 I battled with cancer in the match Yuvraj Singh encouraged Shubman Gill who is battling dengue
Megha
Last Updated: 01:05 PM, 13 October 2023
અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ટીમ તેની આગામી મેચ માટે અમદાવાદ પહોંચી ગઈ છે. આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવા જઈ રહી છે. આ સમયે દરેક ચાહક આ સવાલનો જવાબ જાણવા માંગે છે કે શુભમન ગિલ આ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં રમશે કે કેમ? જો કે, આ અંગેનું ચિત્ર હજુ સ્પષ્ટ નથી પરંતુ પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહને આશા છે કે શુભમન ગિલ શનિવારે પાકિસ્તાન સામે ચોક્કસપણે રમશે.
Happy birthday Gill sahab 🎂 congratulations on the World Cup call-up!
— Yuvraj Singh (@YUVSTRONG12) September 8, 2023
Hope you score loads of runs with your mighty bat and your even mightier determination 💪🏻⚡️god bless, lots of love ❤️ @ShubmanGill pic.twitter.com/6LU2ptUD6W
ગિલ સાથે વાત કરીને યુવરાજ સિંહે તેને પ્રોત્સાહિત કર્યો
યુવરાજ સિંહને આશા છે કે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રમાનારી મેચ પહેલા ઓપનર શુભમન ગિલ સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. યુવરાજે ખુલાસો કર્યો છે કે તેણે શુભમન ગિલ સાથે વાત કરી છે અને યુવા બેટ્સમેનને પ્રોત્સાહિત કર્યા છે. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શુભમનની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બીમારીના કારણે તે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની ભારતની પ્રથમ બે વર્લ્ડ કપ મેચો ચૂકી ગયો હતો. જોકે, હવે ગિલ અમદાવાદ પહોંચી ગયો છે.
મેં કેન્સર સામે લડતી વખતે 2011નો વર્લ્ડ કપ રમ્યો હતો
એક વાતચિત દરમિયાન યુવરાજે ખુલાસો કર્યો કે તેણે ગિલને એ વાત યાદ અપાવીને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો કે તેણે કેન્સર સામે લડતી વખતે 2011નો વર્લ્ડ કપ રમ્યો હતો. યુવરાજે કહ્યું, "મેં શુભમન ગિલને મજબૂત બનાવ્યો છે. મેં તેને કહ્યું હતું કે હું કેન્સર સામે લડતી વખતે વર્લ્ડ કપ રમ્યો હતો, તેથી હું ઝડપથી ટીમમાં જોડાવા માટે તૈયાર થઈ ગયો હતો. આશા છે કે, તે તેના માટે તૈયાર હશે. જ્યારે તમને ડેન્ગ્યુ તાવ હોય ત્યારે ક્રિકેટ મેચ રમવી ખરેખર મુશ્કેલ છે અને મેં તેનો અનુભવ કર્યો છે તેથી મને આશા છે કે જો તે ફિટ હશે તો તે ચોક્કસ રમશે.
Happy Birthday @msdhoni 🎂 here’s to some epic memories on the field! Hope you have a blessed year ahead 🎉 pic.twitter.com/jVzJ8PAAii
— Yuvraj Singh (@YUVSTRONG12) July 7, 2023
મને લાગે છે કે આ એક શાનદાર મેચ થશે
મહત્વનું છે કે જ્યારે ભારતે 2011 માં વર્લ્ડ કપ જીત્યો ત્યારે યુવરાજ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હતો, તેણે 362 રન બનાવ્યા અને ડાબા હાથની સ્પિન વડે 15 વિકેટ લીધી. આવી સ્થિતિમાં શુભમન માટે તેમનાથી મોટી પ્રેરણા કોઈ ન હોઈ શકે. તે જ સમયે, યુવીએ ભારત-પાકિસ્તાન મેચ વિશે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું, "ભારત પહેલેથી જ આત્મવિશ્વાસ ધરાવે છે કારણ કે તેણે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવ્યું છે. રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી. મને લાગે છે કે આ એક શાનદાર મેચ હોવી જોઈએ."
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir