બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Why does BJP upset the party in elections? Mansukh Vasava revealed the secret, know what is the strategy

પ્રતિક્રિયા / ચૂંટણીમાં ભાજપ કેમ ભલભલા પક્ષને હંફાવી નાખે છે? મનસુખ વસાવાએ ખોલ્યું રહસ્ય, જાણો શું છે રણનીતિ

Vishal Khamar

Last Updated: 10:45 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AAP નાં ઉમેદવાર તરીકે ભરૂચ લોકસભા સીટ પરથી ચૈતર વસાવાને ટીકીટ આપતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. ચૈતર વસાવાનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતા સાંસદ મનસુખ વસાવાએ તેઓની પ્રતિક્રિયા આપી હતી.

  • AAP દ્વારા ચૈતર વસાવા ભરૂચથી લોકસભાના ઉમેદવાર જાહેર 
  • ચૈતર વસાવા ઉમેદવાર તરીકે જાહેર થતા સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા 
  • અમે 6 ટર્મથી જીતતા આવ્યા છીએ અને જીતીશું: મનસુખ વસાવા 

ગત રોજ આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. ગત રોજ ભરૂચની મુલાકાતે હતા. તે દરમ્યાન તેઓએ વિશાળ જનસભાને સંબોધી હતી. તેમજ ભરૂચ લોકસભા સીટ પરથી આપનાં ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર કરતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ચૈતર વસાવાને ભરૂચ લોકસભાનાં ઉમેદવાર જાહેર કરતા મનસુખ વસાવાએ તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવા આવે કે ગમે તે કરે અમે છ ટર્મથી જીતતા આવ્યા છીએ અને જીતીશું. આમ આદમી પાર્ટી લોકસભાનાં ઉમેદવાર ડિકલેર કરે કે કોંગ્રેસ, ભાજપ તેમનાં કામોને લઈ જીતે છે. 

 

ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે
તો આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ જ નથી. ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. અમારા ભાજપનાં કોઈપણ કાર્યકર બુથ સુધી પહોંચે છે. આપ વાળા એવું વિચારે છે કે દિલ્હી અને પંજાબમાં અમારી સરકાર છે એટલે ગુજરાતમાં અમે જીતીશું પણ એવું નહિ ચાલે. આજે આ લોકોને ગેરમાર્ગે દોરનારા કોઈ દિવસ ફાઈવા નથી. 

વધુ વાંચોઃ PM મોદીનું આજે ગુજરાતમાં આગમન: નેતાઓ સાથે યોજી શકે છે ચૂંટણીલક્ષી બેઠક, લોકસભા ચૂંટણીને લઇ ભાજપ સજ્જ

ચૈતરનો ખીલ્લો કાઢવા મહેશ વસાવા ફરી રાજકારણમાં આવશે
ભારતીય જનતા પાર્ટી સંગઠન અને કાર્યકર્તાઓની તાકાતથી ચૂંટણી જીતે છે. બીજી પાર્ટીઓ મફત બધુ આપવાની વાત કરશે પણ કોઈ નીતિ નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિજાતિ મંત્રાલય બનાવ્યું અને આદિવાસીઓને તેમનાં હક્કો અપાવ્યા લાભો આપ્યા. મહેશભાઈ વસાવા ભાજપમાં જોડાયા કે નાં જોડાય ભાજપનું સંગઠન મજબૂત છે. મહે વસાવાનાં પીઠમાં ખંજપ મારી ધારાસભ્ય બનેલા ચૈતરનો ખીલો કાઢવા મહેશ વસાવા ફરી રાજકારણમાં આવશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ