બ્રેકિંગ ન્યુઝ
VTV / Why did the Dattatreya peak controversy reach a peak? What is the root cause of Hindu-Jain enmity?
Vishal Khamar
Last Updated: 09:18 PM, 10 October 2023
ADVERTISEMENT
એવું કહેવાય છે કે દુનિયામાં સૌથી ખતરનાક હોય છે ટોચ કારણ કે ટોચ પછી ખીણ હોય છે. આમ તો આ વાત સફળતાની ટોચે પહોંચેલા લોકો માટે કહેવાઈ છે પણ આપણે જે વાત કરવાની છે તે વાત પણ ટોચ ઉપર રહેલા સ્થાનક માટેની જ છે. આ ટોચ એટલે ગિરિવર ગિરનારની સર્વોચ્ચ ટૂંક દત્તાત્રેય શિખર. તાજેતરનો ઘટનાક્રમ ચર્ચાસ્પદ બન્યો જયારે દત્ત ભગવાનના પગલા ઉપર ખુરશી મારવાનો અને તેને ફેંકવાનો પ્રયાસ થયો તેવો આરોપ દત્ત મંદિરના પૂજારીએ કર્યો. આરોપ સુખી સંપન્ન એવા જૈન સમુદાય સામે હતો. પોલીસની નિષ્ક્રિયતા, સંતોમાં રોષ, જૈન સમાજની દલીલ એ ઘટનાક્રમ દરમિયાન અપેક્ષિત હતી.
ADVERTISEMENT
મૂળ વિવાદ આઝાદીકાળથી છે જેમાં હિંદુ સમાજ અને તેના સંતો દત્તાત્રેય ભગવાનની ચરણપાદુકા તરીકે ગિરનારની ટોચે રહેલા સ્થાનકની પૂજા કરે છે જયારે જૈન સમુદાયનો દાવો છે કે એ ચરણપાદુકા દત્ત ભગવાનની નહીં પણ તેમના તીર્થંકર નેમિનાથની છે. મામલો હાઈકોર્ટમાં પણ વર્ષોથી ચાલી રહ્યો છે. આપણે એ મુદ્દો ચર્ચવાનો છે કે હિંદુ અને જૈન બંનેની છાપ એકંદરે શાંતિપ્રિય જ રહી છે. બંને ધર્મ કોઈ બિનજરૂરી વિવાદમાં પડતા નથી. તો આ વિવાદ આટલી હદે વકરી કેમ ગયો?. શું એવા કોઈ તત્વો છે જે બંને સમુદાયને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા હોય. હિંદુ અને જૈન સમુદાય આ પહેલા પાલિતાણામાં શેત્રુંજી પર્વત ઉપર રહેલા નીલકંઠ મંદિર અને જૈન મંદિર મુદ્દે પણ સામસામે આવ્યા હતા. બંને સમુદાય પાસે અપેક્ષા એટલી જ છે કે શિખર ઉપર પહોંચેલો વિવાદ જેમ બને તેમ જલ્દી નીચે ઉતરે પણ આવુ શક્ય કઈ રીતે બનશે.
જૂનાગઢમાં હિંદુ-જૈન દેવસ્થાનનો વિવાદ વકર્યો છે. ગત રવિવારથી બંને સમુદાય વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અમદાવાદમાં જૈન સમાજે તાજેતરમાં આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. જૈન સમાજનું કહેવું છે કે બંને સમુદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો કારસો છે. હિંદુ સમાજના સંતો પણ જૈન સમાજ ઉપર વળતો પ્રહાર કરી રહ્યા છે. ગિરનારમાં દત્તાત્રેય શિખર ઉપર થયેલી બબાલ બાદ મામલો ગરમાયો છે. બંને પક્ષ વચ્ચે સમાધાન થશે કે નહીં તે એક સવાલ?
વિવાદનો ઘટનાક્રમ
ગત રવિવારે ગિરનારના દત્તાત્રેય શિખર ઉપર વિવાદ થયો હતો. દત્ત ભગવાનની ચરણ પાદુકા ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જૈન સમુદાયના 200 થી 250 લોકો આવ્યા હોવાનો દાવો કર્યો છે. દત્ત ભગવાનની પાદુકા ફેંકવાના પ્રયાસનો વીડિયો પણ વાયરલ થયો હતો. ગિરનાર અમારો છે' એવા સૂત્રોચ્ચાર પણ કરાયા હતા. જૈન સમુદાયની દલીલ છે કે અમને દર્શન કરતા અટકાવાયા હતા. હોબાળાને પગલે મંદિરના પૂજારીએ પોલીસમાં અરજી આપી હતી. સમગ્ર મામલે પોલીસ નિષ્ક્રિય હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે. સામા પક્ષે પણ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે. ત્યારે પોલીસનું કહેવું છે કે તેઓ યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે.
વિવાદના મૂળ ક્યાં?
દત્તાત્રેય શિખરનો વિવાદ આઝાદીકાળથી ચાલી રહ્યો છે. દત્તાત્રેય શિખર ઉપર ભગવાન દત્તાત્રેયના પગલા આવેલા છે. જૈનો માને છે કે શિખર પર જે પગલા છે તે નેમિનાથના છે. બંને પક્ષે હાઈકોર્ટમાં પોતાનો દાવો રજૂ કર્યો છે. હાઈકોર્ટે જૈન સમુદાયને પૂજા કરવાની સત્તા આપી નથી. જૈન સમાજનો દાવો છે કે બંને પક્ષ પોતાની શ્રદ્ધા પ્રમાણે પૂજા કરે છે.
સંતોએ શું કહ્યું?
દત્તાત્રેય શિખર સનાતન ધર્મની જ આસ્થાનું કેન્દ્ર છે. દત્તાત્રેય શિખરના વિકાસની સરકારે જાહેરાત કરી છે. સરકારે જે જાહેરાત કરી છે તેમાં પણ જૈન સમુદાયને વાંધો છે. હિંદુ ધર્મનું અપમાન ચલાવી લેવાય નહી. આ બાબતે સંતો ચૂપ નહીં રહે. ત્યારે હાઈકોર્ટમાં મામલો પડતર છે. હાઈકોર્ટે એવું ક્યાંય નથી કહ્યું કે સ્થાનક જૈન સમુદાયનું છે. હાઈકોર્ટે બંને ધર્મના લોકો પૂજા કરી શકે એવું પણ કહ્યું નથી. ગિરનાર ઉપર આદિ-અનાદિકાળથી દત્ત ભગવાન બિરાજમાન છે. દત્ત ભગવાનના પગલા નેમિનાથના છે એવા કોઈ પુરાવા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.