બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / What is L1 Lagrange Points and Why L1 is Crucial for Aditya L1, India's Mission Sun
Vaidehi
Last Updated: 10:37 AM, 1 September 2023
ચંદ્ર પર તો આપણે પહોંચી ગયા અને ઈતિહાસ રચી દીધો. હવે ઈસરો પોતાના વધુ એક મોટા મિશન પર કામ કરવા લાગી ગયું છે. આ મિશનનું નામ છે આદિત્ય L1. હવે ઈસરો 2 સપ્ટેમ્બરે સૂર્ય મિશન ADITYA L1 લોન્ચ કરશે.સૂર્ય પર થતી એક્ટિવીટી અને સૂર્યનું અધ્યયન કરવા માટે આ આદિત્ય L-1 મિશન તૈયાર કરાયું છે.જેમાં એક સ્પેસક્રાફ્ટને એક લેન્ગ્રેંજ પોઈન્ટ પર મોકલવામાં આવશે. આ લેન્ગ્રેંજ પોઈન્ટ એટલે કે L1. પરંતુ હવે સવાલ એ છે કે આ લેન્ગ્રેંજ પોઈન્ટ છે શું અને શા માટે આ પોઈન્ટ મિશન માટે અતિ મહત્વનું છે.
શું છે લેન્ગ્રેંજ પોઈન્ટ? શા માટે આ પોઈન્ટ મહત્વનો?
લેન્ગ્રેંજ પોઈન્ટ્સ એ અંતરિક્ષમાં પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવેલા એવા પોઈન્ટસ્ છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ સ્થિર થઈ જાય છે. સામાન્ય ભાષામાં સમજવામાં આવે તો આ પોઈન્ટસ્ પર જે પણ વસ્તુઓ પહોંચે છે તે ત્યાં સ્થિર થઈ જાય છે. આ પોઈન્ટસનો ઉપયોગ કરીને આપણે અવકાશયાનની મદદથી સૂર્ય વિશે ઘણી માહિતી મેળવી શકીએ છીએ. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એવા કુલ 5 લેન્ગ્રેંજ પોઈન્ટ્સ આવેલા છે. આ કુલ પાંચ પોઈન્ટ એવા છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ બેલેન્સ થઈ જાય છે અને સેન્ટ્રીફ્યૂગલ ફોર્સ બની જાય છે એટલે કે આ જગ્યાએ કોઈ પણ વસ્તુ પહોંચે તો તે પૃથ્વી અને સૂર્ય વચ્ચે સ્થિર થઈ જાય છે. એટલું જ નહીં આ પોઈન્ટ પર ઘણી ઓછી ઊર્જા વપરાય છે. આ પોઈન્ટસને L1,L2,L3,L4,L5 નામ આપવામાં આવ્યું છે.
ભારતનું મિશન સૂર્ય L1 પર જઈ કામ કરશે
આદિત્ય L1 મિશન એ સૂર્ય અને ધરતીના હોલો ઓર્બિટ સિસ્ટમમાં લેન્ગ્રેજ પોઈન્ટ 1 એટલે કે L1 પર રોકાશે.આ પોઈન્ટ ધરતીથી 15 લાખ કિલોમીટર દૂર છે.જ્યાં તેને પહોંચતા અંદાજે 120-125 એટલે કે 4 મહિનાનો સમય લાગશે.સૂર્યયાન અહીંથી જ સૂરજની સ્ટડી કરશે.આ સ્થાનની ખાસિયત છે કે અહીં સૂર્યગ્રહણની કોઈ અસર હોતી નથી . ચોંકાવનારી વાત તો એ છે કે પૃથ્વીથી L1 પોઈન્ટનું ડિસ્ટન્સ એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનાં ડિસ્ટન્સનું માત્ર 1% જ છે.
L1 પર જઈને યાન શું કામ કરશે?
આ મિશનમાં કુલ મળીને 7 અલગ અલગ પેલોડ્સ મોકલવામાં આવશે જે મશીન્સ ફોટોસ્ફેયર, ક્રોમોસ્ફેયર અને સૂરજની બહારનાં લેયર (કોરોનલ)નું અધ્યયન કરશે.જેમ ચંદ્રયાનમાં રંભા, ચેસ્ટે, વિક્રમ અને પ્રજ્ઞાન જેવા અલગ અલગ પેલોડ્સ હતાં તેમ આદિત્ય L1માં પણ 7 પેલોડ્સ છે જેને 2 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.
આ 7 પેલોડ્સ સૂર્યની આસપાસ આવેલા લેયરનું નિરીક્ષણ અને અધ્યયનનું કામ કરશે.
VELC HEL1OS MAG
SUIT ASPEX
SoLEXS PAPA
મિશનનો મુખ્ય ઉદેશ્ય
• કોરોનલ હીટિંગ અને સોલાર વિન્ડને સમજવું
• કોરોનલ માસ ઇજેક્શનની શરૂઆત(CME), જ્વાળાઓ અને પૃથ્વીની નજીકનાં અવકાશ હવામાન વગેરેને સમજવું
• સૌર વાતાવરણનાં જોડાણ અને ગતિશીલતાને સમજવું
• સૌર પવનના વિતરણ અને તાપમાન એનિસોટ્રોપીને સમજવું
એટલે કે,
આદિત્ય L1 મિશનથી સૂર્યના લેયર્સની સ્પીડ, સૂરજનું તાપમાન, સોલર સ્ટોર્મ, અલ્ટ્રાવાયોલેટ UV કિરણોનું ધરતી અને ઓઝોન લેયર પર પડતાં પ્રભાવો, સૂર્યની આસપાસનાં અવકાશના હવામાનની માહિતી વગેરે જાણકારી ઈસરો દ્વારા મેળવી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh