બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / What did the High Court do on terrorism that the Supreme Court did

ટકોર / 'કોર્ટે આવા કેસોને હળવાશમાં ન લેવા', આતંકવાદ પર હાઇકોર્ટે એવું શું કર્યું કે સુપ્રીમ કોર્ટ ભડકી!"

Kishor

Last Updated: 05:00 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પલટી સ્વીકાર્યું કે હાઈકોર્ટે તેના અગાઉના નિર્ણયનું ખોટું અર્થઘટન કર્યું હતું. UAPA હેઠળ આરોપી વ્યક્તિને તાત્કાલિક કસ્ટડીમાં લેવાનો આદેશ અપાયો છે.

  • સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પલટ્યો 
  • આરોપીને ડિફોલ્ટ જામીન અપાતા સુપ્રીમ કોર્ટ નારાજ
  • અદાલતોએ આવા કેસને હળવાશથી ન લેવા જોઈએ

દિલ્લી હાઈકોર્ટે હાલમાં જ ગેરકાનુની ગતિવિધિઓ અધિનિયમ એટલે UAPA હેઠળ આરોપી શખ્સને જામીન આપ્યા છે. તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિ હથિયારોના પ્રશિક્ષણ માટે સીમા પાર કરીને પાકિસ્તાન જવાની યોજના બનાવી રહ્યો હતો. પણ એજન્સી કાયદાના નિર્ધારિત સમયની અંદર તેની તપાસ પૂરી કરી શકી નહીં. જેના કારણે આરોપીને ડિફોલ્ટ જામીન આપવામાં આવ્યા છે. હાઈકોર્ટના આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તાત્કાલિક આ નિર્ણયને રદ કરતા કહ્યું કે અદાલતોએ આવા કેસને હળવાશથી ન લેવા જોઈએ. કારણ કે આ કેસમાં આતંકવાદી ગતિવિધિઓ પણ સામેલ છે.

મહત્તમ સમયગાળો 180 દિવસ સુધી લંબાવી શકાય છે

સુપ્રીમ કોર્ટેના ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને રાજેશ બિંદલની ખંડપીઠે કહ્યું કે હાઈકોર્ટે ટાડા કેસમાં સુપ્રીમ કોર્ટના 1994ના ચુકાદા પર ખોટી રીતે વિશ્વાસ કર્યો અને UAPA કેસમાં તેને 2019ના ચુકાદાને અવગણ્યો કર્યો. જેમાં તેનું કહેવુ હતું કે તપાસ માટે યૂએપીએના કેસમાં તપાસ માટે મહત્તમ સમયગાળો 180 દિવસ સુધી લંબાવી શકાય છે.

ગુનાની પ્રકૃતિ ધ્યાનમાં ન લેવાઈ
હાલના કેસમાં આરોપી પર ભારતીય દંડ સંહિતા , UAPA અને આર્મ્સ એક્ટની અલગ અલગ જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ પૂરી કરવામાં થયેલા વિલંબના કારણે દિલ્લી હાઈકોર્ટે ડિફોલ્ટ જામીન આપ્યા હતા. સુપ્રિમ કોર્ટના ખંડપીઠે કહ્યું કે તેના બીજા પાસા પર પણ નજર કરવી જોઈએ કે કે તેની પ્રવૃતિ ગુનાહિત પ્રવૃતિ છે. જેની અસર માત્ર ભારત પર જ નહીં અન્ય દુશ્મન દેશો પર પણ તેની અસર પડે છે. જેથી આ કેસને હળવાશમાં ન લેવો જોઈએ. સુપ્રિમ કોર્ટે આરોપીને તાત્કાલિક કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું વર્ષ 2019માં મહારાષ્ટ્ર રાજ્ય બનામ સુરેન્દ્ર પુંડલિક ગાડલિંગ અને અન્યના કેસમા કલમ 43D (2) (b)ની જોગવાઈઓ ધ્યાનમાં લેવામાં આવી હતી.. આ કેસમાં FSL રિપોર્ટની રાહ જોવામાં આવી હતી. જ્યારે હાલના કેસમાં આરોપીની કસ્ટડી ખુબ જ જરૂરી હતી.. કારણ કે નાણાકીય લેવડ દેવડની જાણકારી મેળવવા માટે અન્ય શહેરોમાં ફેલાયેલા ષડયંત્રની તપાસ કરવાની હતી અને તે જરૂરી હતું. હાઈકોર્ટ UAPA સંબંધિત 2019ના ઉપરોક્ત નિર્ણયને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ ગઈ. "તેને TADAની જોગવાઈઓ માટે 1994 ના નિર્ણય પર વિશ્વાસ રાખ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ