બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Wear masks in public places, follow social distancing: IMA issues advisory
Hiralal
Last Updated: 04:29 PM, 22 December 2022
પાંચ દેશોમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાને જોઈને ભારત સરકારે અત્યારથી કોરોનાના ડામવા મોટાપાયે તૈયારીઓ શરુ કરી દીધી છે. હેલ્થ મિનિસ્ટ્રીની એડવાઈઝરીના એક બાદ હવે ઈન્ડીયન મેડિકલ એસોસિેએશને એક મોટી ગાઈડલાઈન્સ બહાર પાડીને લોકોને શું કરવું અને શું ન કરવું તે સંબંધિત સલાહ આપી છે.
કોરોનાને લઈને IMAની ગાઈડલાઈન્સ, લગ્ન પ્રસંગ અને રેલીઓ ટાળો, સોશિયલ ડિસ્ટન્સીંગનું ધ્યાન રાખો#CoronavirusUpdates #IMA #SocialDistance #Wedding pic.twitter.com/ozfuqfl9Rr
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 22, 2022
લોકોને અપાઈ આવી સલાહ
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ નાગરિકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે. આઈએમએના પ્રમુખ એસ.એન.પી.સિંહે કહ્યું કે ચીન, અમેરિકા જેવા દેશોમાં જે સ્થિતિ છે તે જોતા કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે હવે આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ ઉપરાંત તેમણે બિનજરૂરી પ્રવાસો ટાળવાની પણ અપીલ કરી છે. ડો.સિંહે કહ્યું કે આ એક એવો પ્રસંગ છે જ્યારે વિદેશ યાત્રાઓ ફક્ત મુસાફરી માટે ન કરવી જોઈએ.તેમણે કહ્યું કે જાહેર સ્થળોએ માસ્ક પહેરવું, બિન-આવશ્યક મુસાફરી ન કરવી અને સમારંભો મુલતવી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગાઈડલાઈન્સમાં શું કહેવાયું
ભારતમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા
ચીનમાં કોરોના ફેલાવાને કારણે ભારતમાં ભયની સ્થિતિ છે અને ચોથી લહેર આવવાની સંભાવના છે. સરકારે પણ કોંગ્રેસ પાર્ટીને તેની ભારત જોડો યાત્રા બંધ કરવાની સૂચના આપી છે. એટલું જ નહીં ભાજપે પોતે રાજસ્થાનમાં પોતાની જનક્રોશ યાત્રા સ્થગિત કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં કેટલાક નિયમોનું પાલન કરવાની સલાહ સરકાર આપી શકે છે.
પીએમ મોદીએ બોલાવી મોટી બેઠક
પીએમ મોદીએ કોરોનાને પહોંચી વળવા માટે બેઠક બોલાવી છે. આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટથી આવતા મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ, ફરજિયાત માસ્ક જેવા નિર્ણયો લઈ શકાશે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં કહ્યું છે કે, ભારતમાં સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે, ચીનની સ્થિતિથી ડરવાની જરૂર નથી, પરંતુ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે આપણે મોટા મેળાવડાથી પણ બચવું જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh