બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / We will approach court for Delhi CM Kejriwal to work from jail if he is arrested by ED: Atishi
Hiralal
Last Updated: 07:45 PM, 6 November 2023
દારુ કૌભાંડમાં ઈડી દિલ્હી સીએમ કેજરીવાલની ગમે ત્યારે ધરપકડ કરે તેવી સંભાવના છે. અત્યાર સુધીના આપના 3 મોટા નેતાની ધરપકડ થઈ ચૂકી છે અને હવે તપાસનો રેલ સીએમ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. ઈડીએ ગત 2 નવેમ્બરે કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યાં હતા પરંતુ તેઓ ન ગયા એટલે હવે તેમને ફરી વાર સમન અપાશે અને પૂછપરછ બાદ તેમની ધરપકડ થઈ શકે છે. પોતાની ધરપકડ થવાની છે તેનો ઈશારો ખુદ કેજરીવાલે કર્યો છે.
ધારાસભ્યોની બેઠકમાં શું બોલ્યાં કેજરીવાલ
કેજરીવાલે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી જેમાં કેજરીવાલે ધારાસભ્યોને એવો ઈશારો કર્યો કે પોતાની ધરપકડના કિસ્સામાં 'જેલમાંથી સરકાર ચલાવીશું'. દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે જો કેજરીવાલની ધરપકડ થશે તો જેલમાંથી સરકાર ચલાવવા માટે આમ આદમી પાર્ટી કોર્ટનો સંપર્ક કરશે.
શું છે દારુ કૌભાંડ
નવેમ્બર 2021 માં, દિલ્હી સરકારે ખૂબ જ ધામધૂમથી નવી આબકારી નીતિ શરૂ કરી. તેના કારણે દિલ્હીમાં દારૂ ઘણો સસ્તો થયો અને છૂટક વેપારીઓને પણ છૂટ આપવાની આઝાદી મળી. જોકે, ભાજપે દારૂના લાયસન્સની વહેંચણીમાં ગોટાળાનો આક્ષેપ કર્યો હતો. પસંદગી પામેલા ડીલરોને લાભ મળ્યો હતો. જુલાઈ 2022 સુધીમાં, આ મુદ્દે એટલો હોબાળો મચ્યો કે લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો. રિપોર્ટના આધારે એલજીએ સીબીઆઈ તપાસને મંજૂરી આપી હતી. આ જ કેસની તપાસ દરમિયાન CBIએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે.
15 લોકો અને અજાણ્યા લોકો વિરુદ્ધ FIR
સીબીઆઈએ આ કેસમાં 15 લોકો અને અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે. સિસોદિયાને આરોપી નંબર 1 બનાવવામાં આવ્યો હતો. CBI FIRમાં સામેલ આરોપીઓના નામ નીચે મુજબ છે.
મનીષ સિસોદિયા
અર્વા ગોપી કૃષ્ણ
આનંદ તિવારી
પંકજ ભટનાગર
વિજય નાયર
મનોજ રાય
અમનદીપ ધાલ
સમીર મહેન્દ્રુ
અમિત અરોરા
બડી રિટેલ પ્રાઇવેટ લિમિટેડ
દિનેશ અરોરા
મહાદેવ લિકર
સની મારવાહ
અરુણ રામચંદ્ર પિલ્લઈ
અર્જુન પાંડે
અજાણ્યા સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓ
એન્ફોર્સમેન્ટ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh