બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / NRI News / વિશ્વ / Uk government bans dependents coming to country with care workers

યુકે જવું અઘરું / UK જનારા ભારતીયો માટે ખરાબ સમાચાર, આ ક્ષેત્રે કામ કરતા લોકો પરિવારને નહીં લઈ જઈ શકે

Bhavin Rawal

Last Updated: 11:52 AM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુકે ગવર્નમેન્ટ આ નિયમ લાવવા પાછળ વધી રહેલા વિદેશીઓની સંખ્યાને ગણાવે છે. સરકારી આંકડા પ્રમાણે કેર વિઝા પર ગત વર્ષે આવેલા 1 લાખ વર્કર્સની સામે તેમના ડિપેન્ડન્ટ 1,20,000 છે.

યુકે એટલે કે યુનાઈટેડ કિંગ્ડમના ગૃહ મંત્રાલય દ્વારા વિદેશથી આવતા નાગરિકો માટે નવા નિયમો લાગુ કરી દેવાયા છે. આ નિયમો ખાસ કરીને કેર સેક્ટર એટલે હેલ્થ સેક્ટરમાં લાગુ કરાયા છે. જે મુજબ કેર અથવા હેલ્થ સેક્ટરમાં કામ કરતા વિદેશી નાગરિકો હવે પોતાના પરિવારજનોને યુકે નહીં લાવી શકે. યુકે ગવર્નમેન્ટ આ નિયમ લાવવા પાછળ વધી રહેલા વિદેશીઓની સંખ્યાને ગણાવે છે. સરકારી આંકડા પ્રમાણે કેર વિઝા પર ગત વર્ષે આવેલા 1 લાખ વર્કર્સની સામે તેમના ડિપેન્ડન્ટ 1,20,000 છે. 

વધતી વિદેશીઓની સંખ્યા જવાબદાર 

હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલી એ આ મામલે સરકારનો બચાવ કરતા કહ્યું છે કે યુકેમાં ડિપેન્ડન્ટ વિઝાનો દુરુપયોગ થતો અટકાવવા માટે અને વિદેશીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે વિદેશી કેર વર્કર્સનું યુકેમાં મહત્વનું યોગદાન છે, પરંતુ તેના આધારે આવતા વિદેશીઓની સંખ્યા અપ્રમાણસર વધી રહી છે. 

પગાર વધારવા લેવાયા પગલા

આ મામલે સરકારનું કહેવું છે આ કાયદો હેલ્થ કેર ક્ષેત્રે કામ કરતા વિદેશી વર્કર્સના શોષણને રોકવા માટે જરૂરી છે. ઘણા એવા કિસ્સા છે, જેમાં હેલ્થકેર વર્કર્સને અસ્તિત્વમાં જ ન હોય તેવી નોકરી કે પછી લઘુત્તમ વેતન કરતા ઓછું વતેન આપીને વિઝા આપવામાં આવ્યા છે. આ પગલાંની સાથે સાથે સ્કીલ્ડ વર્કર્સની સેલરી વધારવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે.  

3 લાખ લોકો પર પડશે અસર

આ પ્રતિબંધ લાગુ થયા બાદ યુકે ગૃહ વિભાગના અંદાજ પ્રમાણે ગત વર્ષે 3 લાખ જેટલા નાગરિકો યુકે આવવાના હતા, જેમાંથી મોટા ભાગના લોકો હવે યુકે નહીં આવી શકે. આ ઉપરાંત ગ્રેજ્યુએશન માટે જે પણ વિદ્યાર્થીઓ યુકે આવે છે, તેમની વિઝા એપ્લીકેશનની પણ સમીક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યુકેમાં આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં મોટી સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની છે.

વધુ વાંચો: વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓમાં હવે અમેરિકા બન્યું પહેલી પસંદ, કેનેડા, ઓસ્ટ્રેલિયાનો મોહ ઘટ્યો

છેલ્લા કેટલાક સમયમાં સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં પણ ઘણા ફેરફાર થયા છે, જેમાં ખાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે આવતા વિદ્યાર્થીઓને પણ ડિપેન્ડન્ટ્સને યુકે લાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ ફેરફાર બાદ વિદેશી વિદ્યાર્થીઓની વિઝા એપ્લીકેશનની ચકાસણી કરાઈ રહી છે. સાથે જ યુકે સરકાર સ્કીલ્ડ વર્કર વિઝા પર આવતા વિદેશી નાગરિકો માટેના લઘુત્તમ પગારમાં પણ વધારો કરી રહી છે, જેની અસર ફેમિલી વિઝા માટેની ફાઈનાન્શિયલ જરૂરિયાતો પર પણ પડશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ