બ્રેકિંગ ન્યુઝ
બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો
અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા
ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ
લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી
ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ
ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી
VTV / ભારત / Politics / PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
Last Updated: 08:31 AM, 28 April 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચુંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ઉત્તર કર્ણાટક ક્ષેત્રમાં બેલાગવી, ઉત્તરા કન્નડ, દાવનગેરે અને બલ્લારીમાં ચાર રેલીઓને સંબોધિત કરશે. PM મોદી ઉત્તર કર્ણાટક ક્ષેત્રમાં મત એકત્ર કરવાના ભાજપના રાજ્ય એકમના પ્રયાસોને મજબૂત કરવા જાહેર રેલીઓને સંબોધશે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર લોકસભા ચૂંટણી પ્રચાર માટે શનિવારે રાત્રે કુંદનગરી બેલગામ પહોંચેલા વડાપ્રધાનનું પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર અને અન્ય મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.
કર્ણાટકમાં લોકસભામાં BJPનું પ્રદર્શન કેવું ?
આપને જણાવી દઈએ કે શુક્રવારે કર્ણાટકમાં 28માંથી 14 લોકસભા સીટો પર મતદાન થયું હતું. અન્ય 14 સીટો માટે 7 મેના રોજ મતદાન થશે. જેમાં બાગલકોટ, બેલગામ, બિદર, બીજાપુર, ચિક્કોડી, દાવણગેરે, ધારવાડ, કાલાબુર્ગી, હાવેરી, બલ્લારી, કોપ્પલ, રાયચુર, શિમોગા અને ઉત્તરા કન્નડ બેઠકોનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં લોકસભા ચૂંટણીમાં ભાજપે હંમેશા શાનદાર પ્રદર્શન કર્યું છે. દક્ષિણમાં આ એકમાત્ર રાજ્ય છે જ્યાં ભાજપની પકડ મજબૂત છે. 2019ની ચૂંટણીમાં પાર્ટીએ રાજ્યની 28માંથી 25 બેઠકો પર એકતરફી જીત મેળવી હતી. કોંગ્રેસે એક બેઠક જીતી હતી. આવી સ્થિતિમાં ભાજપ ફરી એકવાર ગત ચૂંટણીની જેમ પોતાના પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પડકાર છે, ત્યારે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા પ્રયાસ કરી રહી છે.
વધુ વાંચો: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
કર્ણાટકમાં કયા સમુદાયની અસર
જો વોક્કાલિગા અને લિંગાયત સમુદાય એક મંચ પર આવે છે તો તેઓ કર્ણાટકની રાજનીતિમાં મોટું પરિવર્તન લાવવા માટે સક્ષમ છે. તેનું પરિણામ ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં પણ ભોગવવું પડ્યું છે. કર્ણાટકમાં લિંગાયતોની વસ્તી સૌથી વધુ છે જ્યારે વોક્કાલિગા સમુદાય બીજા સ્થાને છે. JDSના વડા એચડી દેવગૌડા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર વોક્કાલિગા સમુદાયના છે. નોંધનીય છે કે, ત્રીજો તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજાનાર છે જેમાં 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 94 બેઠકો પર મતદાન થશે. 4 જૂને પરિણામ જાહેર થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતના આ વિસ્તારમાં લોકોને ફરી મળશે મત આપવાની તક, 11 મેએ ફરી થશે મતદાન
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતના આ વિસ્તારમાં લોકોને ફરી મળશે મત આપવાની તક, 11 મેએ ફરી થશે મતદાન
ADVERTISEMENT