બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / સ્પોર્ટસ / Cricket / This star player of Gujarat will replace Jadeja? There was a stir in Pandya's team
Megha
Last Updated: 03:09 PM, 8 January 2023
હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકા સામેની T20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી અને ટીમ ઈન્ડિયાએ શનિવારે રાજકોટમાં રમાયેલી સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચમાં 91 રને જીત મેળવી હતી. જણાવી દઈએ કે ભારતે T20 સીરિઝની પહેલી મેચ 2 રને જીતી હતી જ્યારે બીજી મેચમાં શ્રીલંકાએ 16 રને જીત મેળવી હતી પણ સીરિઝની ત્રીજી મેચ એકતરફી રહી હતી. ભારતે મેચમાં પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 137 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.
આ T20 સીરિઝની જીત ટીમ ઈન્ડિયા માટે ઘણી અલગ અને મહત્વની હતી કારણ કે વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, ભુવનેશ્વર કુમાર જેવા વરિષ્ઠ ખેલાડીઓને આ સીરિઝમાં સામેલ કરવામાં આવ્યા નહતા અને આવી સ્થિતિમાં યુવા ખેલાડીઓને તક મળી અને શાનદાર પ્રદર્શન કરીને એમને જણાવી દીધું છે કે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે. આ સીરીઝમાં હાર્દિકની કેપ્ટનશીપમાં ઘણા ખેલાડીઓને ડેબ્યુ કરવાની તક મળી.
A proud Captain @hardikpandya7 collects the trophy as #TeamIndia win the T20I series 2-1.#INDvSL @mastercardindia pic.twitter.com/hzpOrocYjU
— BCCI (@BCCI) January 7, 2023
જાડેજા ઈજાના કારણે હાલ બહાર
તેમાંથી એક એવો ખેલાડી સામે આવ્યો છે જેને પોતાના બેટ અને બોલ બંનેથી શ્રીલંકાને હરાવ્યું છે. જો કે આ સીરિઝ પછી તેને રવિન્દ્ર જાડેજાના પરફેક્ટ રિપ્લેસમેન્ટ તરીકે ગણવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે જાડેજા ઈજાના કારણે છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે અને આવી સ્થિતિમાં આ ખેલાડીએ તેની ગેરહાજરીનો અનુભવ નહતો થવા દીધો. ચાલો જાણીએ કોણ છે એ ખેલાડી..
For his all-round brilliance in the #INDvSL T20I series, @akshar2026 becomes the Player of the Series 👏👏#TeamIndia | @mastercardindia pic.twitter.com/x3lsTm51Ti
— BCCI (@BCCI) January 7, 2023
કોણ છે એ ઓલરાઉન્ડર
આ ખેલાડી બીજું કોઈ નહીં પણ અક્ષર પટેલ છે. શ્રીલંકા સામેની આ સીરિઝમાં અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ માટે ઓલરાઉન્ડ રમત રમી હતી. ડાબા હાથના સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલે રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી મહેસુસ નહતી થવા દીધી. જણાવી દઈએ કે ત્રણ મેચોની આ T20 સિરીઝમાં અક્ષર પટેલે 117 રન બનાવ્યા અને 3 વિકેટ લીધી છે. આ દરમિયાન બેટ સાથે તેનો સ્ટ્રાઈક રેટ 195 હતો. જેમાં બીજી T20 મેચમાં અક્ષર પટેલે કરેલી વિસ્ફોટક બેટિંગ કરી હતી અને અક્ષરના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. હવે અક્ષરને ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. જો કે જાડેજા ફિટ છે અને ટૂંક સમયમાં ટીમમાં પરત ફરશે.
અક્ષરના આંકડા
જણાવી દઈએ કે અક્ષર પટેલ ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે અને ભારતની જીતમાં તેણે ઘણી વખત મહત્વની ભૂમિકા ભજવી છે. અક્ષર પટેલે અત્યાર સુધીમાં કુલ 8 ટેસ્ટ, 16 વનડે અને 40 ટી20 મેચ રમી છે અને આ સાથે જ તે ભારત માટે વર્લ્ડ કપ પણ રમી ચૂક્યો છે. વર્ષ 2022માં આયોજિત T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. અક્ષર પટેલે અત્યાર સુધી 40 T20 મેચમાં કુલ 37 વિકેટ અને 288 રન બનાવ્યા છે. જો કે તેને બેટિંગ કરવાની બહુ તક મળી નથી, પણ તાજેતરની શ્રીલંકા સામેની સીરિઝમાં તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh