બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / ગુજરાત / અમદાવાદ / યાત્રિકોની માંગને લઇ પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય, દોડાવાશે સાબરમતી-હરિદ્વારની સ્પેશિયલ ટ્રેન, બુકિંગ શરૂ

નિર્ણય / યાત્રિકોની માંગને લઇ પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય, દોડાવાશે સાબરમતી-હરિદ્વારની સ્પેશિયલ ટ્રેન, બુકિંગ શરૂ

Last Updated: 10:15 AM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-હરિદ્વારની સ્પેશ્યલ ટ્રેન દોડાવશે. યાત્રીઓની માંગને ધ્યાને રાખી પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવયો છે. તેમજ સ્પેશ્યલ ટ્રેન માટે આજથી બુકિંગ શરૂ થશે.

પશ્રિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગને ધ્યાને રાખી સાબરમતી અને હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આજથી આરક્ષણ કેન્દ્રો અને IRCTC ની વેબસાઈટ પર બુકીંગ શરૂ થશે.

પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશ્યલ ટ્રેન 5 મે 2024 ને રવિવારે સાબરમતીથી 19:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19:00 કલાકે હરિદ્વાર પહોંચશે. ટ્રેન નંબર 09426 હરિદ્વાર- સાબરમતી સ્પેશ્યલ 6 મે 2024 સોમવારે હરિદ્વારખથી 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:30 કલાકે સાબરમતી પહોંચશે.

ટ્રેન ક્યાં ક્યાં સ્ટેશને રોકાશે

પશ્ચિમ રેલવે દ્વારા શરૂ કરેલ સાબરમતી થી હરિદ્વાર સ્પેશ્યલ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રીંગસ, નીમ કા થાના, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્લી, ગાજિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર રોકાશે. તેમજ આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ હશે.

વધુ વાંચોઃ 25 વર્ષ પહેલા કેનાલ બની પરંતુ ક્યારેય પાણી ન આવ્યું, ઘોઘા તાલુકાના ખેડૂતો સિંચાઈના અભાવે પરેશાન

ટ્રેન નંબર 09425 નું બુકિંગ 4 મે 2024 થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને IRCTC ની વેબસાઈટ પર બુકીંગ શરૂ થયું છે. તેમજ ટ્રેનોનો સમય, રોકાણ, અને તેની સબંધિત તમામ વિગત માટે www.enquiry.indianrain.gov.in પર જઈને જાણી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ