બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / The cave is located in Ranawav of Porbandar
Dinesh
Last Updated: 12:06 PM, 18 February 2023
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકા ખાતે આવેલ વર્ષો જૂની જાંબુવનની ગુફામાંથી વિશે ઓછા લોકો જાણતા હશે. પરંતુ આ ગુફા સાથે રામાયણથી લઈ મહાભારતકાળ સુધીનો સંબંધ હોવાની માન્યતા છે.આ ગુફામાંથી ટપકતા પાણીને કારણે જમીન પર સ્વયંભૂ શિવલિંગ બને છે.
અહીંયા શિવરાત્રી ધામધૂમથી ઉજવાય છે
પોરબંદર નજીક આવેલ જાંબુવનની ગુફા આવેલી છે. આ ગુફા સાથે રામાયણથી મહાભારત સુધીનો ઇતિહાસ જોડાયેલ છે. તો સાથો સાથ આ ગુફામાંથી ટપકતા પાણીને કારણે જમીન પર સ્વયંભૂ શિવલિંગ ઉતપન્ન થાય છે. આ ગુફા અંદાજે 9000 વર્ષ જૂની હોવાની માનવામાં આવે છે. ભગવાન શ્રીરામના અવતારમાં ભગવાન રામને લંકા સુધી પોહચવા સમુદ્ર સેતુ બાંધવામાં મદદરૂપ થનાર જાંબુવન સાથે જોડાયેલ છે.જાંબુવન પોતાની પુત્રી જાંબુવતી સાથે અહીં રહેતા હતા. ભગવાન શ્રીકૃષ્ણ મણી શોધતા શોધતા જાંબુવનની ગુફામાં ગયા હતા. ત્યારબાદ ગુફામાં સતત 18 દિવસ સુધી ભગવાન શ્રીકૃષ્ણ અને જાંબુવન વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. અને અંતે જાંબુવતે પોતાની પુત્રી જાંબુવતીના લગ્ન ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરાવી મણી ભગવાન શ્રીકૃષ્ણને કન્યાદાનમાં આપી હતી.
જાંબુવન ગુફાનો ભક્તોમાં મહિમા
આ ગુફાની બીજા ખાસિયત એ છે કે આ ગુફાના ઉપરના ભાગથી 365 દિવસ પાણી ટપકતું રહે છે. આ ટપકતા પાણીને કારણે જમીન પર સ્વયંભૂ શિવલિંગ તૈયાર થાય છે.જેને કારણે આ ગુફામાં હજારોની સંખ્યામાં શિવલિંગ જોવા મળે છે. આ રીતે આ ગુફામાં બ્રહ્મા,વિષ્ણુ,અને મહેશ એમ ભગવાનના ત્રણેય અવતાર સાથે જોડાયેલ છે. શિવરાત્રીના પાવન દિવસે અહીં મેળો ભરાય છે. તો મહા પૂજા, આરતી અને પ્રસાદી સહિતના ધાર્મિક કર્યક્રમોનું આયોજન રામેશ્વર મંડળ દ્વારા કરવામાં આવે છે.
આ ગુફામાં બે રસ્તા પડે છે. જેમાંથી એક રસ્તો બેટદ્વારકા નીકળે છે. તો બીજો રસ્તો જૂનાગઢ ગિરનારના પર્વત નજીક નીકળતો હતો. હાલ તો આ રસ્તા નીચે ઉતરતા બંધ થઈ ગયા છે. પરંતુ ભૂતકાળમાં આ રસ્તાથી બેટ દ્વારકા અને જૂનાગઢ જવાતું હતું. જાંબુવતની ગુફા ધર્મ સાથે જોડાયેલ હોવાથી વર્ષ દરમિયાન હજારો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh